Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સિન્ધી સમાજ દ્વારા ગાંધીજીને પુષ્પાંજલી

રાજકોટ : પૂ. મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને જુબેલી ગાર્ડન ખાતે સિન્ધી સમાજના આગેવાનો શિવ સેના પ્રમુખ જીમ્મીભાઇ અડવાણી, સિન્ધી યુવક મંડળ પ્રમુખ, સાહિત્ય પંચાયતના ઉ.પ્રમુખ શ્યામસુંદર ચંદીરામાણી, સિન્ધુ કો.ઓ. ક્રેડીટ સોસાયટીના પ્રમુખ મંગારામ ધીરવાણી, સિન્ધુ સેવા સમાજના પ્રમુખ વિનોદભાઇ લેખાણી, ઉ.પ્રમુખ શ્યામસુંદર ચંદીરામાણી, કોંગ્રેસ વોર્ડ નં.૩ના કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી, સિન્ધી સમાજના આગેવાનો ફતેહચંદ મુલચંદાણી, રાજુભાઇ ભંભાણી, જેઠુભાઇ ધર્માણી, મોહનભાઇ બાલચંદાણી વગેરે આગેવાનો દ્વારા પુષ્પાંજલી આપવામાં આવી હતી. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:28 pm IST)