Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

જૈનમ રાસોત્સવમાં વડીલો દ્વારા પણ પ્રિન્સ - પ્રિન્સેસની કેટેગરી

ફકત જૈનો માટે જૈનમ દ્વારા સતત ત્રીજા વર્ષે પારીજાત પાર્ટી પ્લોટ ખાતે આયોજન : સંગીતકાર પંકજ ભટ્ટ અને તેની ટીમનું ધમાકેદાર ઓરકેસ્ટ્રા : દરરોજ ૨૬ ઈનામોની વણઝાર : કોર્પોરેટ ગઝીબો - સેલ્ફી ઝોન - લેડીઝ જેન્ટ્સ ખેલૈયાઓ માટે દરરોજ અલગ અલગ કલરકોડ : ગરબા સુશોભન, ટેટુ, મહેંદી, પાઘડી, ચુડી અને આરતી થાળી જેવી સ્પર્ધાઓ : ૪૦ વર્ષથી વધુ ઉંમરના ખેલૈયાઓ પણ રાસે રમશે

રાજકોટ, તા. ૨ : છેલ્લા બે વર્ષથી જૈન સમાજનાં ભાઈ-બહેનો માટે આયોજીત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. જેને સમગ્ર જૈન સમાજ દ્વારા અભૂતપુર્વ પ્રતિસાદ મેળવી બેનમુન આયોજન બનાવી આપેલ. સમગ્ર જૈન સમાજ દ્વારા જૈનમ્ ટીમનાં આ આયોજનને બિરદાવેલ, સતત ત્રીજા વર્ષે જૈનમ ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવા જઈ રહયું છે.

માં આદ્યાશકિતની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગ દ્વારા આગામી નવરાત્રી તા.૧૦ ઓકટોબર થી તા.૧૮ ઓકટોબર ૨૦૧૮ સુધી એમ ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવનાર છે. વિસરાતા જતા સાંસ્કૃતિક વારસાને સાચવવા તથા બાળકોમાં ભકિત-શકિત અને પવિત્રતા ખીલે તથા વિકસે અને આપણા મુલ્યનિષ્ઠ ઉત્સવોને સાચી સમજણપૂર્વક માણતા-ઉજવતા શીખે તેવા અને જૈન સમાજમાં એકતા વધુ દ્રઢ બને તેવા ઉમદા ધ્યેય સાથે નવરાત્રીને વધાવવા ખેલૈયાઓ થનગનતા હોય છે. નવરાત્રીનો સ્પીરીટ જ એવો હોય છે કે દરેક ઉંમરનાં લોકોને પગ થીરકાવાનું મન થઈ આવે.પણ આ બધુ ત્યારે જ શકય બને છે જયારે તમે ગ્રુપમાં જતા હોય, ગ્રુપ હોય તો જ તમને સિકયુરીટી અને લાઈક માઈન્ડેડ લોકોની કંપની મળતી હોય છે. આવું દરેક માટે શકય નથી હોતુ.

આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ શહેરનાં રાજમાર્ગ સમા ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર  જૈન શ્રેષ્ઠીવર્યશ્રી ચંદ્રકાંતભાઈ શેઠનાં પારીજાત પાર્ટી પ્લોટનાં ૩૪૦૦૦ વારના વિશાળ ગ્રાઉન્ડમાં કોઈ કોમર્શિયલ હેતુ વગર આયોજીત થનાર છે. ગ્રાઉન્ડમાં આકર્ષક લાઈટીંગ સાથે મનમોહક સ્ટેજનું નિર્માણ કરવામાં આવનાર છે.

જયારે યુવાઓના હૈયાઓને ડોલાવવા ૧ લાખ વોટની સ્ટેટ ઓફ ધી આર્ટ મલ્ટી લેયર સાઉન્ડ સીસ્ટમનાં તાલે ઝુમશે જેમાં સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયોગ આ વખતે રાજકોટમાં નવરાત્રી મહોત્સવમાં કરવામાં આવનાર છે.

નવરાત્રી મહોત્સવનાં ખેલૈયાઓ માટે દરરોજ બેસ્ટ ટ્રેડીશ્નલ કોસ્ચ્યુમ, ડેકોરેટીવ ગરબા, પાદ્યડી, ચુડી, બેસ્ટ આરતી, બેસ્ટ ટેટ્ટુ, બેસ્ટ મહેંદી તધ્ઉ૫રાંત દરરોજ અલગ અલગ લેડીઝ-જેન્ટસ માટે ડ્રેસ કલર કોડ જેવી અવનવી કોમ્પીટીશન સાથે ગરબાની વેરાઈટી પણ સામેલ કરવામાં આવેલ છે. રોજ બરોજ દરેક ગ્રુપને અવનવા ઈનામોની વણઝાર સાથે નવાઝવામાં આવશે. ઉપરાંત નવરાત્રીનાં અંતમાં મેગા ફાઈનલમાં લાખેણા ઈનામો વિજેતાઓને આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.

આ નવરાત્રી મહોત્સવમાં સુપ્રસિઘ્ધ સંગીતકાર, ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમીનાં ચેરમેનશ્રી પંકજ ભટ્ટ તથા તેમના સાજીંદાઓ ફરી એકવાર રાજકોટનાં જૈન સમાજનાં ખેલૈયાઓને ડોલાવશે. જેઓના પરફોર્મન્સ યુ ટયુબ અને સમગ્ર દેશમાં અર્વાચિન દાંડીયામાં પોતાની ગાયીકી દ્વારા ઘૂમ મચાવી રહયા છે તેવા શ્રીકાંત નાયર - મુંબઈ, મયુરી પાટલીયા - બરોડા, વિશાલ પંચાલ - અમદાવાદ, પરાગી પારેખ - વલસાડ,  પ્રિતી ભટ્ટ - રાજકોટ જેવા ચુનીંદા કલાકારો જૈનમ્ નવરાત્રીમાં ધુમ મચાવશે.

ગ્રાઉન્ડની અંદર ખેલૈયાઓ સિવાયનાં મેમ્બર માટે ગ્રાઉન્ડમાં જ અલાયદી અને આરામદાયક બેઠક વ્યવસ્થા કરવામાં આવનાર છે. તો સાથો સાથ કોર્પોરેટ વર્લ્ડની જરૂરીઆતને ઘ્યાનમાં રાખીને ખાસ પ્રકારે ડીઝાઈન કરેલ ગઝેબો પણ તૈયાર કરવામાં આવનાર છે. જેમાં સોફા ટાઈપ સીટીંગ વ્યવસ્થા તેમજ પધારેલ મહેમાનો માટે એટેડન્ટન્ટની વિશેષ સુવિધા પણ પુરી પાડવામાં આવનાર છે જે એક વિશેષ વાત છે. નવરાત્રી મહોત્સવનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.

ખેલૈયાઓ અને યુવાઓ માટે તૈયાર કરેલ ઙ્કસેલ્ફી ઝોન તૈયાર કરવામાં આવનાર છે.  આ સેલ્ફી ઝોનની થીમ દરરોજ બદલતી રહેશે જેથી ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં જ હેપનીંગ મોમેન્ટ માણી શકશે.

નવરાત્રી મહોત્સવમાં સ્ટેજ તથા અન્ય બેઠક વ્યવસ્થા પણ પ્રોફેશ્નલ પ્લાનર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે, ગ્રાઉન્ડનાં કોઈપણ ખૂણેથી સ્ટેજનો વ્યુહ એકદમ સ્પષ્ટ દેખાય તે રીતે તૈયાર કરવામાં આવેલ છે. ગ્રાઉન્ડમાં બેઠક વ્યવસ્થા સ્ટેડીયમ ટાઈપ કરવામાં આવનાર છે, ઉપરાંત ગ્રાઉન્ડમાં વિશાળ એલઈડીની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. સલામતીના માપદંડ ઉપર ખરા ઉતરતા દરેક વિસ્તારને નાઈટવીઝન સીસીટીવી થી આવરી લેવામાં આવશે.  તેમજ સમગ્ર આયોજનનો બહુહેતુક વિમો પણ લેવામાં આવનાર છે. ગ્રાઉન્ડ અંદર પણ કાર-બાઈક માટે આર્કિટેકટ અને ટ્રાફીક પ્રોફેશ્નલનાં માર્ગદર્શન મુજબ તૈયાર કરાયેલ પાર્કીંગ ઝોન તૈયાર કરવામાં આવશે જેથી આવનાર લોકોને પાર્કીંગ પણ સરળતાથી થઈ શકે, નવરાત્રી મહોત્સવ શહેરમાં જ હોવા છતા ૧૫૦ ફુટ રીંગ રોડ જેવા વિશાળ રોડ ધરાવતા વિસ્તારમાં હોવાથી સામાન્ય રીતે જોવા મળતા ટ્રાફીક જામની સમસ્યા આ આયોજનમાં કયાંય જોવા મળશે નહીં. જેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.

આયોજનમાં જૈન સોશ્યલ ગ્રુપ મેઈન,વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, સેન્ટ્રલ, સીલ્વર,  જૈન યુવા ગ્રુપ, જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્ટર, મીડટાઉન લેડીઝ વિંગ , સંગીની ડાઉનટાઉન જોડાનાર છે.

જૈનમ નવરાત્રી મહોત્સવનાં આ કાર્યને સફળ બનાવવા માટે રાજકોટનાં જીતુ કોઠારી, સુજીત ઉદાણી, જયેશ વસા, નિલેશ કામદાર, નિલેશ ભાલાણી, મેહુલ દામાણી, મયુર શાહ, સેજલ કોઠારી, નિલેશ શાહ, ઋષભ શેઠ, તરૂણ કોઠારી,  જયેશ મહેતા, ચીરાગ દોશી,  ઉપેન મોદી,  અમીષ દેસાઈ, અમીત દોશી, વિર ખારા, વૈભવ સંદ્યવી, નિપૂણ દોશી, અનીલ દેસાઈ, અનીષ વાધર, ધર્મેશ શાહ, સતીષ મહેતા, નિતેષ કામદાર, કમલેશ શાહ, જેનીષ અજમેરા, વિક્રાંત શાહ, સુનીલ શાહ, ભરત કાગદી, ધૈર્ય પારેખ, પીયુષ મહેતા,  રૂષી વસા, હેમલ કામદાર, પરેશ સંદ્યવી,  જે.વી. શાહ, મહેશ મણીઆર, અમીનેશ રૂપાણી, ચેતન કામદાર, ભાવીન મહેતા, હર્ષદ મહેતા, પ્રકાશ ખજુરીયા, સુકેતુ ભોડીયા, અમીષ દોશી, ઉમેશ શાહ, મેહુલ બાવીસી, નિલેશ કોઠારી, પીનાકીન શાહ, પરાગ મહેતા, ઉદય ગાંધી,  રોનક દોશી,  આકાશ ભાલાણી, ઉદય દોશી, રોહીત પંચમીયા, ભાવેશ અજમેરા, અમીત લાખાણી, રાજુ દોશી, દિવ્યેશ દોશી, ડો.રાજુ કોઠારી, ધવલ ગાંધી, ચિરાગ ઉદાણી, શ્રેણિક વોરા, પારસ શેઠ, અલ્પેશ મોદી, જયેશ શાહ, મીહીર મોદી, મુકેશ દોશી, શૈલેષ માંઉ, સુભાષ બાવીસી, વિભાસ શેઠ, કુમાર શાહ, ભરત દોશી, મેહુલ શાહ, જીતુ લાખાણી, જુગલ દોશી, ધ્રુમીલ પારેખ, તુષાર ધ્રુવ,  દર્શન શાહ, ડો.પારસ શાહ, ડો.અનીમેષ ધ્રુવ, મેહુલ રૂપાણી, ડો.ભાવીન કોઠારી, મિલેશ મહેતા, ડો.અમીત હપાણી, કેતન ગોસલીયા, આકાશ મહેતા, ડો.પારસ ડી. શાહ, ડો.હીરેન કોઠારી, જીતુ મારવાડી, હેમલ પારેખ, અલ્કેશ ગોસલીયા, દર્શન લાખાણી, કિર્તી દોશી, હિંમાશુ કોઠારી, હિતેશ શાહ, નિશાંત વોરા,  પારસ ખારા, પરેશ સંદ્યાણી,  સંજય વાધર, પ્રશાંત સંદ્યવી, નિલેશ દોશી,  વિશાલ વસા, પ્રણવ મહેતા, નિલેશ દેસાઈ, મયુર મહેતા, જસ્મીન ધોળકીયા, પરાગ કોઠારી, અંકુર જૈન, મૌલીક શાહ, હિંમાશુ ખજુરીયા,  જયદત સંદ્યાણી,  રાકેશ શાહ, ભરત પારેખ, કુણાલ મહેતા, વંદિત દામાણી, જય પરીખ, સમીપ કોઠારી, રાજ કોઠારી,  માનવ ગાંધી, અક્ષત પારેખ, વત્સલ ગાંધી, અપૂર્વ મણીઆર, રાજેશ મોદી, જીતેશ સંદ્યવી, ભાવિક શાહ, વિજય પારેખ, અજય વોરા, જીજ્ઞેશ મહેતા, બિપીન શાહ, સમીર શાહ, કેવલ મોદી, અશોક વોરા, ભાગ્યેશ મહેતા, ભાવિન ઉદાણી, બિન્દેશ મહેતા, ચિંતન દોશી, દર્શન દેસાઈ, તેજસ ગાંધી,  કામિન દોશી, ધવલ દોશી, દિશીત મહેતા, ગૌરવ વોરા, જીગર મહેતા, જીજ્ઞેશ શાહ,  જીનેશ શાહ, કલ્પેશ દેસાઈ, કેવીન ઉદાણી, કુણાલ દેસાઈ, મનીષ દેસાઈ, પરેશ વોરા, રાજેન દોશી, તેજસ સંદ્યવી, રૂષભ વોરા, ચિરાગ શાહ, મૌલીક મહેતા, રાકેશ શેઠ, રોનક શાહ, સંદીપ મહેતા, જીગર શેઠ, જીગર પારેખ, વિરેશ ગોડા, દિવ્યેશ ગાંધી, અજય મારૂ, હાર્દિક કોઠારી, શૈલેન મહેતા, ભાવેશ મહેતા, વૈભવ મહેતા, વિમલ ધામી, જય ઉદાણી, દિનેશ કોઠારી, વિમલ પારેખ સહીતનાં અનેક કાર્યકરો તનતોડ મહેનત કરી રહયાં છે.

આ અંગેની વધુ માહીતી માટે જીતુ કોઠારી - ૯૮૨૫૦ ૭૬૩૧૬, સુજીત ઉદાણી ૯૮૨૪૬ ૫૦૫૦૧ તથા જયેશ વસા - ૯૮૨૪૦ ૪૫૬૦૧ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:56 pm IST)