Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

'વર્લ્ડ હાર્ટ-ડે'ના રોજ યોજાયુ ૭મું ડો. એસ.ટી. હેમાણી ઓરેશનઃ મુંબઈનાં ડો. ભટ્ટાચાર્યનું વકતવ્ય

રાજકોટ સર્જનસ એસોસીએશનના ઉપક્રમે તા. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ રવિવારે રાજકોટના સુપ્રસિદ્ધ સર્જન ડો. એસ.ટી. હેમાણીના નામે વકતવ્ય શ્રેણી (ડો. એસ.ટી. હેમાણી ઓરેશન) યોજાઈ હતી. આ ઓરેશનનો હેતુ જણાવતા ડો. એસ.ટી. હેમાણીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રના સર્જનસ (ડોકટરો)ને નિષ્ણાંત ડોકટર દ્વારા આપવામાં આવતા વ્યાખ્યાનથી તેમની અનન્ય અને આધુનિક તેમજ એમની સર્જરી (કામ) કરવાની ટેકનીકની જાણકારી મળી રહે.  આ સાતમા ડો. એસ.ટી. હેમાણી ઓરેશનમાં મુંબઈના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડો. એસ. ભટ્ટાચાર્યએ પોતાનું વકતવ્ય આપ્યું હતું.  ડો. ભટ્ટાચાર્ય એટલે... અનેક એવોર્ડ અને આટલી ખ્યાતિ પછી પણ એમનો શાંત, સરળ અને મિલનસાર સ્વભાવ સ્પર્શી જાય તેવું વ્યકિતત્વ.

(3:49 pm IST)