Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો

રાજકોટ : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે જયુબેલી બાગ ખાતે આવેલ તેઓની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુત, પુર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નં.૩ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, હેમાંગભાઇ વસાવડા, પ્રદિપભાઇ ત્રીવેદી, મીતુલ દોંગા, અશોકસિંહ વાઘેલા, પ્રભાતભાઇ ડાંગર, રણજીત મુંધવા, ઘનશ્યામસિંહ જાડેજા, મનીષાબા વાળા સહિતના હોદેદારો, આગેવાનો, કોર્પોરેટરો તથા કાર્યકરો સહિતના ઉપસ્થિત રહયા હતાં.

(3:48 pm IST)