Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

કાલથી હડમતીયામાં પાલણપીર મેળોઃ

રાજકોટઃ તા.૨, મહંત શ્રી શામળદાસ બાપુના સાનિધ્યમાં હર સાલ હડમતીયા પાલણપીરમાં મેળાનું બુધવારે તા.૩ થી રવિવાર ૬ સુધી આયોજન કરેલ છે. આ મેળામાં ધારાસભ્ય શ્રી લાખાભાઇ જેઠાભાઇ સાગઠીયા તથા શ્રી મતી ગીતાબેન લાખાભાઇ સાગઠીયાના હસ્તે ઉતારાની રાવટી ઉપર નોમનો નેજો સવારે ૧૦ કલાકે ચડાવી હરહીર ખુલ્લુ મુકવામાં આવશે. દિપ પ્રાગ્ટય શ્રી જેન્તીભાઇ પુનાભાઇ પરમાર તથા શ્રીમતી રમાબેન જેન્તીભાઇ પરમાર વાળાધારીના હસ્તે થશે.

ધાર્મિક પ્રસંગમાં અન્નકુટના દાતા મનસુખભાઇ સાગઠીયા કમરકોટડા વાળાનો સહયોગ મળેલ છે. ભાવિકોએ લાભ લેવા સંત શિરોમણી શ્રી દાસીજીવણ સાહેબની જગ્યાના મહંત શ્રી શામળદાસ બાપુ દ્વારા   આમંત્રણ પાઠવાયું છે.

 આયોજનને સફળ બનાવવા વ્યવસ્થાપકના કમિટિ મેમ્બરો ત્રિલોક બાપુ, જેન્તીભાઇ પુનાભાઇ પરમાર, ખીમજીભાઇ ગુંદાળા, નારણભાઇ ભલાભાઇ ખીમસુરીયા, નારણભાઇ જીવાભાઇ બગડા, માવજીભાઇ ચનાભાઇ સોલંકી, સાહિત્ય કલાકાર તુલશીભાઇ ગોંડલીયા તથા મનુભાઇ ધાંધલ વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(3:47 pm IST)