Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પદયાત્રીઓએ મનોહરસિંહજી દાદાને શ્રધ્ધાસુમન અર્પણ કરી પદયાત્રા આરંભી

રાજકોટ : વર્ષોના નિત્યક્રમ મુજબ રાજકોટથી પદયાત્રીઓ માતાના મઢ કચ્છ જવા રવાના થાય એટલે રાજવી પરિવાર પેલેસ રોડ આશાપુરાના મંદિર પાસે અચુક ઉપસ્થિત રહે છે અને પદયાત્રીઓને માનભેર વિદાય આપે છે. ત્યારે આ વર્ષે રાજકોટના રાજવી ઠાકોર સાહેબ શ્રી મનોહરસિંહજી દાદાએ વિદાય લઇ લીધી હોય પદયાત્રી સંઘે તેમને યાદ કર્યા હતા. રાજકોટથી પદયાત્રા આરંભતા પહેલા તમામ પદયાત્રીઓએ મનોહરસિંહજી દાદાની વિશાળ છબીને ફુલહાર કરી શ્રધ્ધા સુમન અર્પણ કરેલ તે સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(12:19 pm IST)