Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

જય માં આશાપુરા... ના નાદ ગુંજી ઉઠયા : રાજકોટથી માતાના મઢ કચ્છ જવા ૫૫૧ પદયાત્રીઓનું પ્રસ્થાન

રાજકોટ : સૌની આશા પૂર્ણ કરનાર દેશદેવી માં આશાપુરા માતાજીના કચ્છમાં જયાં બેસણા છે તેવા માતાના મઢ સુધી ૩૭૫ કિ.મી. પગપાળા જઇ રહેલ પદયાત્રાત્રીઓને રાજકોટથી માનભેર વિદાય અપાઇ હતી. માં આશાપુરા પદયાત્રી સંઘના નેતૃત્વમાં પપ૧ પદયાત્રીઓ રાજકોટથી રવાના થયેલ છે. પેલેસ  રોડ ખાતેના શ્રી આશાપુરા માતાજીના મંદિરે માં ભગવતી ગ્રુપ દ્વારા બાવન ગજની ધ્વજા લહેરાવી વિદાય અપાઇ હતી.  પદયાત્રીઓના કપાળે કુમકુમ તીલક કરી માતાજીનો જય જય કાર કરાયો હતો. સવારે ભગવતી ફાસ્ટફુડ પેલેસ રોડ ખાતે ભગવતી ગ્રુપના આયોજકો નિતીનભાઇ મેવાડા, નિરજભાઇ ચાવડા, મુકેશભાઇ ગુસાણી, સિધ્ધરાજસિંહ જાડેજા અને માં આશાપુરા મિત્ર મંડળના જયદેવસિંહ જાડેજા, સુખદેવસિંહ ઝાલા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પદયાત્રીઓને ગાંઠીયા ઝલેબી, ચા, લાપસી પ્રસાદરૂપે ભાવથી જમાડવામાં આવ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે માં ભગવતી ગ્રુપ રાજકોટ દ્વારા આગામી તા.૩ થી પ સુધી સુરજબારી ચેરપોષ્ટ પાસે સેવા કેમ્પ હાથ ધરી ૨૪ કલાક પદયાત્રીઓ માટે રહેવા, જમવા, ન્હાવા માટેની સુવિધા પ્રદાન કરાશે. તેમ માતાજીના સેવક વિનોદભાઇ આર. પોપટ (મો.૯૯૭૯૯ ૦૭૨૧૮) ની યાદીમાં જણાવાયુ છે. તસ્વીરમાં રાજકોટથી માતાના મઢ પગપાળા જઇ રહેલ સંઘને વિદાય વેળાના દ્રશ્યો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૧)

 

(12:18 pm IST)