Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જનકલ્યાણ હોલ ખાતે ૮૦ અનાથ બાળકો સાથે વિજયભાઇનું પ્રિતી ભોજન...

રાજકોટઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે બાળસખા સહાય યોજનાની જાહેરાત કર્યા બાદ જનકલ્યાણ હોલ ખાતે ૮૦ જેટલા કોરોનામાં અનાથ થયેલા બાળકો સાથે ખાસ પ્રિતી ભોજન કર્યું હતું. તેમની સાથે સંવાદ યોજયો હતો. વાલીઓ-ઉપસ્થિત પાલક માતા-પિતા અંગે અનાથ બાળકો સાથે વાતચીત કરી હતી તે નજરે પડે છે, મુખ્યમંત્રી સાથે બાળકોએ સેલ્ફી લઇ વિશ્વાસ વ્યકત કર્યો હતો, તસ્વીરમાં અનાથ બાળકો સાથે-પાલક વાલીઓ સાથે મુખ્યમંત્રી-ઉપરાંત મંત્રીશ્રી ઇશ્વરભાઇ, અંજલીબેન, નીતિનભાઇ ભારદ્વાજ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:17 pm IST)