Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

સોમવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે શિવ-તાંડવ, સંધ્યા ધ્યાન

પુનમ-રક્ષાબંધન-શ્રાવણમાસનો સોમવાર ત્રિવેણી સંગમ નિમિતે : સરકારી ગાઇડ લાઇન પ્રમાણે મંદિર ઓશો ઇનર સર્કલ દ્વારા ધ્યાન

રાજકોટઃ ઓશોના સુત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આસાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન, ગીત-સંગીત વિવિધ સંપ્રદાયોના ઉત્સવો તથા વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૫ વર્ષોથી ૨૪ કલાક ઓશો પ્રવૃતિથી ધમધમતુ વિશ્વના એકમાત્ર ઓશો સત્ય પ્રકાશ  ધ્યાન મંદિરે ઉજવવામાં આવે છે.

આગામી તા.૩ ઓગષ્ટને સોમવારના રોજ પુનમ, રક્ષાબંધન તથા શ્રાવણમાસના સોમવાર નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સાંજના ૬:૪૫ થી ૭:૪૫ દરમિયાન શિવ તાંડવ ધ્યાન તથા સંધ્યા ધ્યાનનું આયોજન ફકત ઇનર સર્કલ માટે કરવામાં આવ્યું છે. બાકીના મીત્રો ઘર ઘર રહીને ધ્યાન કરશે.

ઓશો ધ્યાન મંદિરે વર્ષોથી દર પુનમે ધ્યાન શીબીર તથા રાત્રે સંતવાણીના કાર્યક્રમનું કરાતુ હોય છે. પરંતુ કોરોના સંક્રમણ પરિસ્થિતિને અનુલક્ષીને સરકારી ગાઇડ લાઇન પ્રમાણે શિબિર તથા સંતવાણીના કાર્યક્રમનું આયોજન કેન્સલ કરેલ છે. જેની દરેક ઓશો સન્યાસી તથા પ્રેમીએ નોંધ લેવી.

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રિજપાસે ૪ વૈદવાડી, ડી.માર્ટ પાછળની શેરી રાજકોટ

વિશેષ માહીતીઃ સ્વામી સત્ય પ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(3:43 pm IST)