Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

દુધ સાગર રોડ પરની ભગવતી સોસાયટીમાં શબનમ શાહમદારનું બેભાન હાલતમાં મોત

પતિએ દરવાજો તોડીને જોતાં પત્નિ બેભાન મળીઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨: દૂધ સાગર રોડ પર આવેલી ભગવતી સોસાયટી-૧માં રહેતી શબનમ કરિમશા શાહમદાર (ઉ.૨૩) નામની ફકિર પરિણીતાને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.

મૃત્યુ પામનાર શબનમના માતવર ધ્રોલ રહે છે. પિતાનું નામ હબીબશા નુરશા શાહમદાર છે. પતિ કરિમશા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ સાંજે સાડા સાતેક વાગ્યે પોતે ઘરે આવ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. ખખડાવવા છતાં ન ખોલાતાં દરવાજો તોડીને જોતાં પત્નિ ભોંયતળીયે પડેલી દેખાઇ હતી. ૧૦૮ને બોલાવતાં તેના તબિબે કદાચ હાર્ટએટેક હોઇ શકે તેમ જણાવતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યાનું તબિબે જાહેર કર્યુ હતું.

(1:05 pm IST)