Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

હેમંત ચૌહાણના જીવન પર લખાયેલ પુસ્તકનું વિમોચન

રાજકોટ : જાણીતા ભજનિક હેમંત ચૌહાણના જીવન ઉપર આધારીત તૈયાર થયેલ પુસ્તકનું ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિમોચન કરાયુ હતુ. ઝાંઝરકાના મહંતશ્રી શંભુનાથ બાપુ દ્વારા પ્રકાશિત કરાયેલ આ પુસ્તકનું લેખન અન સંપાદન સીટી ટુંડીયા (સુરેન્દ્રનગર) દ્વારા કરાયુ છે. વિમોચન પ્રસંગે ડો. દલપત પઢીયાર, ડો. ટી. એમ. જોશી, ગૌતમ ગેડીયા, શ્રી જાલુ, ડો. રાઘવજીભાઇ માધડ, આર. સી. રાવલ, વિનયગીરી ગોસાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 pm IST)