Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

આગામી ૬ મહિના સુધી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરોઃ NSUI

NSUI ના રાજકોટ એકમે શાળા-કોલેજની માફી મુદ્દે આવેદન આપ્યું હતું.

રાજકોટ તા. રઃ શહેર-એનએસયુઆઇએ કલેકટરને આવેદન પાઠવી આગામી છ મહિના સુધી સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંપુર્ણ ફી માફ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેરાયું છે કે, કોવીડ-૧૯ કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા અને ખાસ કરીને બાળકોમાં ચેપ ન લાગે તે માટે રાજયમાં આવેલ તમામ શાળા-કોલેજો લોકડાઉન પહેલાથી એટલે કે ૧પમી માર્ચથી બંધ કરવાના આદેશ આપેલ છે. શાળા-કોલેજો બંધ કરવામાં આવી ત્યારથી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ઇલેકટ્રીકસિટી, પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઇ વગેરે જેવા દૈનિક ખર્ચાઓ થતાં નથી. બીજી બાજુ હાલ લોકડાઉનના કારણે મધ્યમ અને નાના વર્ગના નોકરી-ધંધા-રોજગાર કરતા પરિવારો આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. આવડા પરિવારોને રાહત આપવા ખાનગી શાળા સંચાલકો વાલીઓ પાસેથી ફી ના ઉઘરાવે તે માટે વાલી મંડળના પ્રતિનિધિઓ કે વાલીઓના અભિપ્રાય લીધા સિવાય રાજય સરકારે ખાનગી શાળા-કોલેજના સંચાલકો સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં સંચાલકોની અનુ કૂળતા મુજબ આગામી શૈક્ષણિક વર્ષની ફી ન વધારવાનું સ્વીકારીને ખાનગી શાળા સંચાલકોને સાનુકુળતા કરી આપવામાં આવી છે.

૧પમી માર્ચથી શાળા-કોલેજો બંધ કરવાના આદેશ રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ છે. આગામી સમયમાં શાળા-કોલેજો કયારે શરૂ થશે તે હજુ નકકી નથી એટલે કે બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કોરોના મહામારીમાં શાળા-કોલેજો સૌથી પહેલા બંધ કરવામાં આવી હતી અને સૌથી છેલ્લે શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. લઇાખો રૂપિયાની ફી ઉઘરાવતી ખાનગી શાળા કોલેજોમાં બાળકો અભ્યાસ કરવા માટે જવાના જ નથી તેવા સમયે સરકારી અને ખાનગી શાળા કોલેજ સંચાલકો કોરોનાના કપરા કાળમાં નાના અને મધ્યમ વર્ગના ગરીબ પરિવારોને લુંટે નહિ અને ધંધા રોજગાર બંધ છે તેવા સમયે ગરીબ પરિવારના બાળકોને રાહત મળી રહે તે માટે ઓછામાં ઓછા છ મહિના સંપુર્ણ ફી માફ થાય ત.ે યોગ્ય કરી આપવા માંગણી કરીએ છીએ.

આગામી સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેશો તેવી આશા રાખીએ છીએ. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એનએસયુઆઇ આ લડત ચલાવી રહ્યું છે અને તેમને ન્યાય અપાવવા માટે આગળ પણ આજ રીતે લડત ચલાવવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ શહેર એન.એસ.યુ.આઇ. પ્રમુખ નરેન્દ્ર સોલંકી, રોહિત રાઠોડ, દેવેન્દ્રસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, કર્મદિપસિંહ જાડેજા, ભવ્ય પટેલ વિગેરેએ જોડાયા હતા.

(4:14 pm IST)