Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

વોર્ડ નં. ૧૬ના સામાજીક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા

રાજકોટ તા. ર :.  આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ શહેરમાં નકકી કરેલ કાર્યક્રમ અન્વયે નવા કાર્યકર્તા અને આગેવાનોને જોડવાના ભાગરૂપે વોર્ડ નં. ૧૬ માં લુહાર વાડી ખાતે દિલ્હીની કેજરીવાલજીની સરકારથી પ્રેરાયને રાજકોટમાં પ્રભારી અજીત લોખીલના માર્ગદર્શન હેઠળ રાજભા ઝાલા અને શિવલાલ બારસિયાના નેતૃત્વથી પ્રેરાયને વોર્ડ નંબર ૧૬ના સામાજિક આગેવાનો પ્રભાતભાઇ હુંબલ અને ચીમનભાઇ વાઘેલાની સાથે અનેક આગેવાનોએ લુહાર વાડી ખાતે ઉપસ્થિત રહી ને તેમના સેંકડો ટેકેદારો સાથે જોડાવાની જાહેરાત કરી હતી. ઉપરોકત કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો પ્રભાતભાઇ ચાવડા, મગનભાઇ પટેલ, ભરતભાઇ જળુ, જગદીશભાઇ પટેલ, રમેશભાઇ સીદપરા, હિતેષભાઇ હુંબલ, ભુપતભાઇ ચાવડા, મયુર પીઠડીયા, ઇમરાનભાઇ ઘાંચી, હરપાલસિંહ વાઘેલા, હાર્દિકભાઇ, ઇમરાનભાઇ સુમરા, અબ્દુલભાઇ હાલા, રણજીતભાઇ પટેલ, એહમદબાપુ, રઘુવીરસિંહ ચુડાસમા, મનસુખભાઇ પરમાર, નરેશભાઇ રાઠોડ, અજીતભાઇ દોઢિયા અને અલ્તાફભાઇ સુમરા વગેરે આગેવાનોએ ઉપસ્થિત રહી તેમના ટેકેદારો સાથે જોડાવાની જાહેરાત કરી હતી. મીટીંગમાં હાજર આગેવાનોએ વર્તમાન સ્થિતિની ગંભીરતા સમજીને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરોકત કાર્યક્રમમાં અજીતભાઇ લોખીલ, રાજભા ઝાલા, શિવલાલભાઇ બારસિયા, નૈમિષ પાટડીયા, રાજેશ પાનસુરીયા તેમજ જુલીબહેન લોઢીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ. જે તસ્વીરમાં દર્શાય છે.

જનરલ બોર્ડની ગરીમાં જાળવો

આમ આદમી પાર્ટીનાં શહેર પ્રમુખ રાજભા ઝાલાએ મ્યુ. કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાં વિપક્ષનો વોક આઉટ અને શાસક પક્ષ દ્વારા બિમાર કોર્પોરેટરની ગેરહાજરી બાબતે મેયર તથા વિપક્ષી નેતાને પત્ર પાઠવી હવે પછીનાં જનરલ બોર્ડમાં આવી ઘટનાઓ ન બને અને બોર્ડની ગરીમા જાળવવા સુચન કર્યુ છે.

(4:13 pm IST)