Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

ગોંડલ રોડ મંહમદી બાગ સોસાયટીમાં મંહમદશા ફકીરનો ઝેરી દવા પી આપઘાત

માનસીક બીમારીથી કંટાળી પ્રોૈઢે પગલુ ભર્યુ

રાજકોટ તા ૨  :ગોંડલ રોડ પર મહંમદીબાગ સોસાયટીમાં રહેતા ફકીર પ્રોૈઢે માનસીક બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલરોડ પરીન ફર્નીચર પાસે મહંમદી બાગ સોસાયટીમાં રહેતા મહંમદશા ઉસ્માનશા ફકીર (ઉ.વ.૫૦) એ બે દિવસ પહેલા પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક મહંમદશા સેન્ટીંગનું કામ કરતા હતા. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેણે માનસીક બીમારીના લીધે પગલું ભર્યુ હદવાનું ખુલ્યું છે. આ અંગે તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. એ.એમ. જાડેજા અને રાઇટર હિતેષભાઇ પટેલે કાર્યવાહી કરી હતી.

ખોરાણા પાસે કોળી યુવાનનો આપઘાત

ખોરાણા ગામમાં રહેતા સુનીલ ધીરૂભાઇ બાવળીયા (ઉ.વ.૨૫) એ ગઇકાલે ગામની સીમમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ.વી.પી.આહીર તથા રાહઇટર રઘુવીરભાઇ ગઢવીએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક સુનીલ અપરણીત હતો, તે બે ભાઇમાં નાનો હતો. ગૃશ કલેશના કારણે તેણે આ પગલું ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમીક તાપસમાં ખુલ્યું છે.

(3:45 pm IST)