Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

ઇશ્વર ઘુઘરાવાળાને નથી ‘‘ઇશ્વરનો ડર'' : બેફામ ભેળસેળ ખુલી : વાસી ચટણી-દાઝીયા તેલના ઘુઘરા ધાબડતા'તા

અનહાઇજીનિક રીતે ઘુઘરા બનાવતા'તા : ૧૪પ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ : હાથીખાનાના ઇશ્વરભાઇ ઘુઘરાવાળાને ત્‍યાંથી મીઠી ચટણી, ઘુઘરા માટેનો મસાલો અને દાઝીયા તેલના નમૂના લેવાયા : વેપારીને નોટીસ : બજરંગવાડી હોકર્સ ઝોનના ૩૪ ધંધાર્થી ને ત્‍યાં ચેકીંગ

રાજકોટ, તા. રઃ  શહેરીજનોના જન આરોગ્‍ય હિતાર્થે મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારમાં આવેલ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચકાસણી હાથ ધરવામાં આવી છે. જો અન્‍વયે હાથીખાનામાં આવેલ ઇશ્વરભાઇ ઘુઘરાવાળાને ત્‍યાંથી ૧૪પ કિલો, અખાદ્ય ચટણી, બટેટનો મસાલો, કાચા ઘુઘરા દામજીયા તેલનો સ્‍થળ પર જ નાશ કરી ધંધાર્થીને નોટીસ આપવામાં આવી હતી. ૬ નમૂના લેવામાં આવ્‍યા છે. જયારે કોઠારીયા, બજરંગવાડી વિસ્‍તારમાં ૩૪ સ્‍થળોએ ચેકીંગ કરી ૧ ને નોટીસ ફટકારાઇ છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત આ મુજબ છે.

૧૪પ અખાદ્ય ચીજોનો નાશ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલેન્‍સ ચેકિંગ દરમિયાન આરોગ્‍ય અધિકારીશ્રી ડો. જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી ડો. હાર્દિક મેતા તથા ફૂડ સેફ્‌ટી ઓફિસરશ્રી કે. એમ. રાઠોડ તથા આર.આર. પરમાર ની ટીમ સાથે હાથીખાના શેરી નં. ૧૩,  રામનાથ કળપૉ, રાજકોટ મુકામે આવેલ શ્રી ઈશ્વરભાઈ લાલજીભાઇ કાકુની માલિક પેઢી ઈશ્વરભાઈ ઘૂઘરાવાળૉ ના ઉત્‍પાદન સ્‍થળનું ચેકિંગ કરવામાં આવેલ ચકાસણી દરમિયાન પેઢીના ઉત્‍પાદન સ્‍થળ પર અનહાઈજીનિક રીતે ઘૂઘરાનું ઉત્‍પાદન થતું તેમજ સ્‍થળ પર ફૂડ કલરનો ઉપયોગ થતો હોવાનું માલૂમ પડેલ સ્‍થળ પર અનહાઈજીનિક રીતે સંગ્રહ કરેલ મીઠી ચટણી ૨૦ કિ.ગ્રા., લાલ ચટણી ૫ કિ.ગ્રા., ઘૂઘરા માટેનો બટેટાનો મસાલો ૨૦ કિ.ગ્રા., ઉપયોગમાં લેવાતું દાઝીયું તેલ ૬૦ કિ.ગ્રા. તથા શણિયા/ કંતાન પર સુકવેલ કાચા ઘૂઘરા ૪૦ કિ.ગ્રા. નો કુલ મળી ૧૪૫ કિ.ગ્રા. જથ્‍થો મળી આવેલ જે માનવ આહાર માટે ઉપયોગમાં ન લેવાય તે હેતુથી લ્‍ષ્‍પ્‍ વિભાગની ટીપર વાનમાં સ્‍થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ સદર જથ્‍થા માંથી મીઠી ચટણી, ઘૂઘરા માટેનો બટેટાનો મસાલો અને  ઉપયોગમાં લેવાતા દાઝીયા તેલનો નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ. તથા પેઢીના સંગહ સ્‍થળ પર હાઇજિનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. ૩૪ ધંધાર્થીને ત્‍યાં ચકાસણી

મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્‌ટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે શહેરના કોઠારીયા ગામ રણુજા વિસ્‍તાર તેમજ બજરંગવાડી હોકર્સ ઝોન વિસ્‍તારમાં આવેલ ખાધ્‍ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૩૪ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૯ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૩૦ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ મીઠી ચટણી (પ્રિપેર્ડ -લુઝ): સ્‍થળ -ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા, હાથીખાના શેરી નં.૧૩,  રામનાથ કળપૉ,  ઘૂઘરા માટેનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ -લુઝ): સ્‍થળ - ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા, હાથીખાના શેરી નં. ૧૩,  રામનાથ કળપૉ, યુઝડ કૂકિંગ ઓઇલ (લુઝ): સ્‍થળ -ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા, હાથીખાના શેરી નં.૧૩,  રામનાથ કળપૉ,  . ITALIAN PIZZA SAUCE(FROM 1.5 KG PACK): સ્‍થળ -ઈવા એન્‍ટરપ્રાઇઝ (લાપીનોઝ પીઝા), સીટી ગોલ્‍ડ પ્‍લાઝા, પટેલ વાડી પાછળ, પેડક રોડ તથા CHEEZY JALAPENO MAYONNAISE (FROM 1 KG PACK): સ્‍થળ -ઈવા  એન્‍ટરપ્રાઇઝ (લાપીનોઝ પીઝા), સીટી ગોલ્‍ડ પ્‍લાઝા, પટેલ વાડી પાછળ,      પેડક રોડ, NEO CULLNERY MAKHANI SAUCE (FROM 1 KG PKD): V×â -           RESTAURANT BRANDS ASIA LTD., (BURGER KING), યુનિટ નં.2/A/1, ક્રિસ્‍ટલ મોલ, ગ્રાઉન્‍ડ ફ્‌લોર, રાણી ટાવરની સામે, કાલાવડ રોડ સહિત કુલ ૬ નમુના લેવામાં આવ્‍યા હતા.

(3:51 pm IST)