Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અબોલા પ્રાણી-પક્ષીઓની વ્હારે માનવ સેવા મંડળ

રાજકોટઃ વાંકાનેર તાલુકાના જારસિક્કા ગામે આવેલ સિધ્ધેશ્વર મહાદેવ મંદિર આસપાસ જંગલ વિસ્તારમાં માનવ સેવા મંડળ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચકલી, મોર, કાબર, કાગડા, ખીસકોલી તથા ગાય સહીતના પ્રાણી-પક્ષીઓ માટે ચણ અને એક ટ્રેકટર લીલુ ઘાસની વ્યવસ્થા કરી અબોલા પ્રાણી-પક્ષીઓના જીવદયા યજ્ઞમાં જોડાયા હતા.ઙ્ગઆ કાર્ય માટે આશ્રમના મહંત હિરા ભગતે મંડળના ઉપસ્થિત તમામ સભ્યોની પીઠ થાબડી હતી. આ કાર્યમાં મંડળના પ્રમુખ ધર્મેશભાઇ પારેખ, સામાજીક કાર્યકર્તા યોગેશ માખેચા તથા ચેતનભાઇ, કમલેશ વૈષ્નવ, નીતીન રાણપરા, વિજય પાટડીયા તથા જુગલભાઇ સહીતના જીવદયા પ્રેમીઓ જોડાયા હતા.

(3:59 pm IST)