Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ચોથા માળની પાળીએ બેઠેલા ભજનીક હરેશગીરી હવાના ઝોકાથી પટકાતાં મોત

કોઠારીયા સોલવન્ટ દિનદયાળ નગર કવાર્ટરના પરિવારમાં શોક

રાજકોટ તા. ૨: કોઠારીયા સોલવન્ટ દિનદયાળનગર કવાર્ટર બ્લોક નં. ૨૭/૩૧૫માં રહેતાં હરેશગીરી ઇશ્વરગીરી ગોસ્વામી (ઉ.વ.૪૨) નામના ભજનીક ચોથા માળેથી પડી જતાં મોત નિપજતાં પરિવારજનો અને વિશાળ મિત્ર વર્તુળમાં શોક છવાઇ ગયો હતો.

દિનદયાળનગર કવાર્ટરમાં રહેતાં હરેશગીરી ૩૧મીએ સવારે અગાસીએ ગયા હતાં ત્યારે ખાટલા પર પગ રાખી પાળીએ બેઠા હતાં એ વખતે હવાના ઝોકાથી નીચે પડી જતાં ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ બારેક કલાકની સારવારને અંતે દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફત થતાં આજીડેમના એએસઆઇ નરેન્દ્રભાઇ ચાવડા અને કોૈશેન્દ્રસિંહ જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર હરેશગીરી છ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે રિક્ષા ચલાવવા ઉપરાંત ભજનીક પણ હતાં. અલગ-અલગ કાર્યક્રમો, ગરબીઓમાં તેઓ ગાયક તરીકે જતાં હોઇ મોટુ મિત્ર વર્તુળ ધરાવતાં હતાં. (૧૪.૯)

(12:55 pm IST)