Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

શાપર-વેરાવળના માસુમ હેતના અપહરણ-હત્યા કેસમાં નિકુંજ ગોસ્વામી જેલહવાલે

રાજકોટ, તા. ૨ :. શાપર-વેરાવળના માસુમ હેત હરેશભાઈ વાઢેર (ઉ.વ. ૪)ના અપહરણ અને હત્યા કેસમાં પકડાયેલ રાજકોટના નિકુંજભારથી રમેશભારથી ગોસ્વામીના રીમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો હતો.

શાપર-વેરાવળના માસુમ હેતના અપહરણ અને હત્યા કેસમાં પકડાયેલ નિકુંજભારથી રમેશભારથી ગોસ્વામી રહે. અક્ષરનગર મેઈન રોડ ગાંધીગ્રામ રાજકોટને રૂરલ એસઓજીના પીઆઈ જે.એસ. પંડયા તથા ટીમે ઝડપી લીધા બાદ તેની વિશેષ પુછતાછ માટે બે દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. આ રીમાન્ડ દરમિયાન આરોપી નિકુંજભારથી ગોસ્વામીએ પોલીસ સમક્ષ એક જ રટણ કર્યુ હતુ કે, તેના પર દેણુ થઈ જતા ખંડણી પડાવવાના ઈરાદે જ માસુમ હેતનુ અપહરણ કર્યુ હતુ. બાદમાં પોલીસની ગતિવિધિઓ શરૂ થઈ જતા પકડાઈ જવાની બીકે હેતને પતાવી દીધો હતો. શરૂઆતમાં પોલીસને આ વાત ગળે ઉતરતી ન હતી પણ આકરી પૂછતાછમાં પણ નિકુંજે આ જ રટણ ચાલુ રાખતા અંતે પોલીસે આ વાત માની લીધી હતી.

ગઈકાલે સાંજે આરોપી નિકુંજના રીમાન્ડ પુરા થતા કોર્ટમાં રજુ કરાતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.(૨-૧૨)

(2:38 pm IST)