Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

વૈશાલીનગરમાં દાઝી જતાં ભીલ વૃધ્ધા રસિલાબેન ચોૈહાણનું મોત

રાજકોટ તા. ૨: રૈયા રોડ વૈશાલીનગર-૧૦માં રહેતાં ભીલ વૃધ્ધા રસિલાબેન રમણિકભાઇ ચોૈહાણ (ઉ.૬૦) ૨૫મીએ બપોરે સ્ટવ પર રસોઇ બનાવતાં હતાં ત્યારે ભડકો થતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. તેમનું આજે સવારે મોત નિપજ્યું છે.

ગાંધીગ્રામના એએસઆઇ રવજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ હયાત નથી. તેઓ પુત્ર પિયુષભાઇ સાથે રહેતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બેભાન હાલતમાં બે વ્યકિતના મોત

એસ્ટ્રોન ચોક પાસે સરદારનગરમાં રહેતાં કિરણભાઇ રતિલાલ ભટ્ટ (ઉ.૪૪) અને બેડી ગામના ધનજીભાઇ તળશીભાઇ કટેશીયા (ઉ.૪૭) રાત્રે બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ બંનેના મોત નિપજ્યા હતાં. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ એ-ડિવીઝન તથા કુવાડવા પોલીસને જાણ કરી હતી.

(12:02 pm IST)