Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

એડવોકેટ કિરીટ જોષીના હત્યા પ્રકરણે જયેશ પટેલના પરિવારજનોની પૂછપરછ

 

રાજકોટ, તા. ૨ :. જામનગરના જાણીતા વકીલ કિરીટ જોષીની શનિવારે રાત્રીના થયેલી હત્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ પ્રકરણમાં સીસીટીવી ફુટેજના આધારે હત્યા કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ અંગે રેન્જ ડીઆઈજીપી ડી.એન. પટેલે અકિલાને જણાવ્યુ હતુ કે, આ પ્રકરણમાં અમદાવાદ એટીએસ ટીમે તપાસમાં ઝંપલાવ્યુ છે અને જુદા જુદા પાસાઓ ઉપર તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હત્યા કરનારા શખ્સો સુધી પહોંચવા માટે જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગરનો અહેવાલ

જામનગરના પ્રતિનિધિ મુકુંદ બદિયાણીના અહેવાલમાં જણાવાયુ છે કે, આ પ્રકરણમાં પોલીસ વડા પ્રદીપ સેજુલના માર્ગદર્શન હેઠળ જમીન કૌભાંડમાં સંડોવાયેલ જયેશ પટેલની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ માટે તેમના પરિવારજનોની પૂછપરછ પણ હાથ ધરાય છે અને જયેશ પટેલના અંગત નંબરની પણ સઘન તપાસ ચાલુ છે. જયેશ પટેલ હાલ દુબઈમાં છે કે અન્ય કોઈ જગ્યાએ ? તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

(4:12 pm IST)