Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

અકસ્માત મૃત્યુના ગુન્હામાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા.૨ : અકસ્માત કરી મૃત્યુ નિપજાવવાના કેસમાં આરોપી નો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ છે.

આ કેસની વિગત એવી છે ક, આ કામના ફરીયાદી તુલશીભાઇ વાલજીભાઇ મકવાણાએ એવી ફરીયાદ આપેલ કે, તા.૨૭/૦૨/૨૦૧૬ ના રોજ મારા પુત્ર સન્નીભાઇનું ગંજીવાડા નાકા પાસેના ભવાની કારખાના પાસેના સર્વિસ રોડ ઉપર ટ્રેકટર સાથે અકસ્માત થયેલ અને સ્થળ પર જ તેનું મૃત્યુ થયેલ હોવાની ફરીયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં આપેલ હતી.

ત્યારબાદ આ કામના આરોપી વિજય બાબુભાઇ પરમાર વિરૂધ્ધ ચાર્જશીટ થતાં કોર્ટમાં હાજર થતાં પ્લી ચાર્જ થતાં ગુન્હાની કબુલાત નકારેલ. તેથી આ કામના પંચો તથા સાહેદોને તપાસવામાં આવેલ અને જુબાનીઓ લેવામાં આવેલ ત્યારબાદ કોર્ટ દ્વારા બન્ને પ્કારોની દલીલો ધ્યાને લઇ આ કામના આરોપી વિજયભાઇ બાબુભાઇ પરમારને જયુ.મેજી. એ નિર્દોષ છોડી મુકવાનો હુકમ  કરેલ છે. આ કામના આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી શૈલેેષ એમ. ગોંડલીયા રોકાયેલા હતાં.

(4:08 pm IST)