Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

સસ્તા અનાજના દુકાનદાર એસો.ના અગ્રણી ગીરીરાજસિંહ દ્વારા ધડાધડ માલ અપાયોઃ ભાજપ અગ્રણી પણ હાજર

રાજકોટ : રાજકોટની તમામ સસ્તા અનાજની દુકાનો ઉપર આજે બીજા દિવસે કાર્ડધારકોને શાંતિપૂર્ણ માલ અપાઇ રહ્યો છે. સસ્તા અનાજના દુકાનદાર એસો.ના હોદ્દેદારો દ્વારા વહેલી સવારે ૭ વાગ્યાથી દુકાનો ખોલી નખાય છે. આજે  હોદ્દેદાર-અગ્રણી શ્રી ગીરીરાજસિંહ જાડેજાએ સવારે ૭ વાગ્યાથી પ૦ ટોકનો આપ્યા બાદ  ધડાધડ માલ આપી દીધો હતો. હાલ બધી ઓફ લાઇન કામગીરી ચાલી છે, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશ મીરાણી-પુરવઠાનો સ્ટાફ પણ હાજર રહ્યો છે અને લોકોને ૬-૬ ફૂટ દૂર રાખી ઘઉં-ચોખા-ખાંડ-મીઠુ વિગેરે અપાયા હતા. તસ્વીરમાં સોમનાથ સોસાયટી ખાતે આવેલ દુકાનમાં કાર્યવાહી કરી રહેલા દુકાનદાર ગીરીરાજસિંહ, ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, તથા માલ લેવા આવેલા કાર્ડ હોલ્ડરો નજરે પડે છે.

(3:46 pm IST)