Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

રાડીયા પરિવાર દ્વારા અનાજ કીટનું વિતરણ

 હાલ કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિમાં ઘરની બહાર ન નીકળી શકવાથી જેમના ઘરે ચુલા ચાલુ ન થઇ શકતા હોય તેવા લોકોને અનાજ કરીયાણાની કીટ પહોંચાડવા અનડકટ પરિવારે મહાઅભિયાન આદર્યુ છે. સ્વ. ઇન્દુબેન રસીકલાલ અનડકટના સ્પરણાર્થે આ પરિવાર છેલ્લા એક સપ્તાહથી ઘરે જ આવી કીટ તૈયાર કરીને ગરીબ વિસ્તારોમાં રૂબરૂ જઇને જરૂરતમંદ લોકોને પહોંચાડી રહ્યો છે. ગોપાલભાઇ અનડકટ અને તેમના પરિવારજનો દ્વારા જ તૈયાર કરાતી આ કીટમાં ર કિલો બટેટા, ૧ કિલો ડુંૅગળી, ૧ કિલો ચોખા, ૫૦૦ ગ્રામ તેલ સહીતની સામગ્રીઓ સામેલ કરવામાં આવી રહી છે.

(3:45 pm IST)