Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

ઉદયનગરમાં વાળંદ યુવાન રાજેશ જોટંગીયાનો ફાંસો ખાઇ આપઘાત

માનસિક અસ્વસ્થતાથી કંટાળીને પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું

રાજકોટ તા. ૨: મવડી ચોકડી પાસે સહયોગ હોસ્પિટલ પાછળ ઉદયનગર-૨ શેરી નં. ૩માં રહેતાં રાજેશભાઇ રમેશભાઇ જોટંગીયા (ઉ.૩૭) નામના વાળંદ યુવાને પંખામાં વાયર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

રાજેશભાઇએ ગળાફાંસો ખાધાની જાણ થતાં ૧૦૮ના ઇએમટી કિશનભાઇ છાંયા અને પાઇલોટ કરસનભાઇ ખાંભલા પહોંચી ગયા હતાં. જો કે ઇએમટીની તપાસમાં રાજેશભાઇનું મૃત્યુ થયાનું જણાતાં પોલીસને જાણ કરતાં માલવીયાનગરના પીએસઆઇ જે. કે. પાંડાવદરા અને પ્રશાંતસિંહે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

આપઘાત કરનાર રાજશેભાઇ બે ભાઇમાં મોટા હતાં અને આનંદ બંગલા ચોકમાં સાઇકલની દૂકાન ધરાવતાં હતાં. તેના પાંચ વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હતાં. માનસિક અસ્વસ્થતાને કારણે કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ પોલીસની પ્રાથમિક પુછતાછમાં જણાવ્યું હતું.

(3:46 pm IST)