Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ઓમ શ્રી આશાપુરી પ્રગતિ મંડળ દ્વારા મંગળવારે સમૂહલગ્ન : ૧૧ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે

કરીયાવરમાં ૨૦૦ વસ્તુઓ અપાશે : સંતો - મહંતો આર્શીવચન પાઠવશે

રાજકોટ, તા. ૨ : અહિંના ભાવનગર રોડ ઉપર મહાનગરપાલિકા ઓફીસ સામે ભાવેશભાઈ લોખીલ (આહીર)ના ડેલામાં શ્રી ઉવં શ્રી આશાપુરી પ્રગતિ મંડળ વૈષ્ણવ સાધુ સમાજ રાજકોટ દ્વારા તા. ૬ના મંગળવારે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૧ નવદંપતિ પ્રભુતામાં પગલા માંડશે.

આ પ્રસંગે મહંત શ્રી દયારામ ડાડા (ધ્રંગલોડાઈ કચ્છ), મહંત સીતારામ બાપુ (લોહલંગરી જગ્યા ગોંડલ), રસીકબાપુ ગરણી દેશળધામ, ભરતભાઈ ભટ્ટ આશાપુરા મંદિર રાજકોટ - ૧૦૮ નરસંગદાસ સાહેબ કબીર મંદિર રાજકોટ.

રાજુબાપુ, મસ્તરામબાપુ, આનંદી આશ્રમ (), શાપર વેરાવળ, મહંત ચંદુબાપુ આઈ શ્રી ખોડીયાર અને આઈશ્રી છાત્રેશ્વરી અંબા ભવાની મંદિર ચોટીલા, મહંત શ્રી દુર્ગાદાસબાપુ લાલજી મહારાજની જગ્યા સાયલા, લલીતકિશોરદાસજી બાપુ, લીંબડી આર્શીવચન પાઠવશે.

આ સમૂહલગ્નમાં કલાકાર પૂનમબેન ગોંડલીયા, રાધિકાબેન દટીયાણી (જેતપુર), તેમજ લોકમેળા ફેઈમ કલાકાર તુલસીદાસ ગોંડલીયા (મો. ૯૯૭૯૪ ૬૯૫૯૯) પોતાની આગવી શૈલીમાં જમાવટ કરશે.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ અને કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા વિ. હાજરી આપશે. કન્યાઓને કરીયાવરમાં ૨૦૦ ચીજવસ્તુઓ આપવામાં આવશે.

આ લગ્નોત્સવને સફળ બનાવવા ઠાકરદાસ કે. ગોંડલીયા (નિવૃત પી.એસ.આઈ.), પ્રભુદાસ ગોંડલીયા, મહંત આશાપુરી પ્રગતિ મંડળ શ્યામદાસબાપુ, ભીખારામજી ગોપાલદાસજી કાપડી રાજા (મો.૯૪૨૮૨ ૫૭૯૭૬) જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:02 pm IST)