Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન-નારીરત્ન એવોર્ડ

રાજરાજેશ્વર ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ સિધ્ધી સન્માન સમારોહ

રાજકોટ,તા.૨: શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષ પણ સમસ્ત રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના (કાઠી) કે જે જેમણે વર્ષઃ૨૦૧૭માં પાસ થયેલ છે, તેવા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોને પુરસ્કૃત કરવા માટેના સરસ્વતી સન્માન સમારોહનું આયોજન ટુંક સમયમાં સંસ્થાના હોદેદારો અને જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ સમારોહમાં એલ.કે.જી. થી પી.એચ.ડી. કક્ષા સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉર્તીણ કરેલ પરિક્ષામાં ૭૦ કે તેથી વધુ ટકાવારી હોવી જરૂ છે.

આ ઉપરાંત આ સમારોહ સાથે સંસ્થા દ્વારા શિક્ષણ, સર્વિસ, રમત-ગમત, વ્યાવસાયિક વિકાસ, કલા સંસ્કૃતિ, સાહિત્ય, પત્રકારત્વ, રાજકીય, સહકારી પ્રવૃતિ જેવી પ્રવૃતિમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યકિતનું સન્માન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ/ વ્યકિતઓએ તેમનું નામ, સરનામું, મોબાઈલ નંબર, શૈક્ષણિક લાયકાત, મેળવેલ માકર્સ/ ટકા/ ગ્રેડ, શાળા-કોલેજનું નામ સાથેની વિગતની અરજી અને તેની સાથે છેલ્લે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની પ્રમાણિત નકલ સાથે તા.૧૦ સુધીમાં અરજીપત્રક સંસ્થાના કાર્યાલય- શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ, ''સ્પેસ કોમ્પ્લેક્ષ'' બજો માળ, ૨૧/૨૨ ન્યુ જાગનાથ કોર્નર, મહાકાળી મંદિર રોડ, ''રોયલ કેસર'' એપાર્ટમેન્ટ સામે, રાજકોટ-૩૬૦૦૦૧ (૦૨૮૧- ૨૪૬૩૨૪૭)  ખાતે મોકલવાના રહેશે.

આ કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના કન્વીનર સતીષભાઈ તેરૈયા, સહકન્વીનર ગીરધરભાઈ જોષી, વિનુભાઈ બામટા, ઉમેશભાઇ જોશી, લલિતભાઈ ધાંધિયા, તૃત્પિબેન જોશી, વર્ષાબેન જોશી, જેરામભાઈ ચાવડાગોર, ભવસુખભાઈ મંડીર, માધવભાઈ મહેતા, જતીનભાઈ મહેતા, અમિતભાઈ માઢક, રાજેશભાઈ મહેતા, ચેતનભાઈ જોશી, ઉમેશભાઈ એન.જોશી, જયેશભાઈ દવે, પંકજભાઈ ચાંઉ, અશોકભાઈ જોશી, મનીષભાઈ બામટા, દિનેશભાઇ બોરીસાગર, મહેન્દ્રભાઈ એસ.જોશી વિગેરે તૈયારી કરી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:22 pm IST)