Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ગોંડલના વેજાગામમાં દાઝી ગયેલા દયાબેનનું મોતઃ ત્રણ સંતાન મા વિહોણા

વણકર મહિલાએ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨: ગોંડલના વેજાગામમાં રહેતી દયાબેન રાજેશભાઇ મહિડા (ઉ.૩૪) નામની વણકર મહિલા ૨૫મીએ સાંજે સાડા સાતેક વાગ્યે દાઝી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. તેનું ગત મોડી રાત્રે મોત નિપજ્યું છે.

સિવિલ હોસ્પિટલમાં એએસઆઇ સલિમભાઇ એચ. ફુલાણી અને દિપસિંહે કાગળો કર્યા હતાં. મૃત્યુ પામનાર દયાબેન ચુલા પર રસોઇ બનાવતી હોઇ ભડકો થતાં દાઝી ગયાનું પોલીસને જણાવાયું હતું. મૃતકના પતિ રાજેશભાઇ ખેત મજૂરી કરે છે. બનાવથી બે પુત્રી અને એક પુત્ર મા વિહોણા થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(10:21 am IST)