Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વોર્ડ નં. ૧૭ની ગુરુજન સોસાયટીમાં બોરનાં પાણીમાં ગટરનું પાણી ભળી જતા હોબાળો

લોકોનાં ટોળા એકઠા થતા મનપાની ટીમ દોડી ગઇ

રાજકોટ તા. ૧ :.. હજુ મેયરનાં વોર્ડમાં દુષીત પાણીને કારણે ઝાડા-ઉલ્ટીનો રોગચાળો વકર્યો છે. ત્યાં જ વોર્ડ નં. ૧૭ માં પણ દુષીત પાણીનો પ્રશ્ન ઉભો થતાં મ.ન.પા.નું તંત્ર દોડી ગયુ હતું.

સત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ આજે સવારે વોર્ડ નં. ૧૭ ની ગુરૂજન સોસાયટીમાં દુષીત પાણીનાં પ્રશ્ને સ્થાનીક લોકોનાં ટોળા એકત્રીત થતાં મ.ન.પા.નાં અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતાં. અને તપાસ કરતાં માલુમ થયુ હતું કે આ વિસ્તારનાં બોરમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ભળી જતાં બોરનું પાણી દુષીત થયુ છે. અધિકારીઓનાં જણાવ્યા મુજબ કેટલાક લોકો ગેરકાયદે રીતે તંત્રની મંજૂરી વગર ભુગર્ભ ગટરનું કનેકશન જાતે લઇ  લીધુ હોવાથી બોરમાં ગટરનું પાણી ભળી જવાની શકયતા છે. આથી તંત્રએ એ દિશામાં તપાસ હાથ ધરી ગેરકાયદે ભૂતિયા ભુગર્ભ ગટર - કનેકશનો કાપી નાંખવાની તજવીજ હાથ ધરી હતી. 

(3:40 pm IST)