Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

અપમાનજનક રીતે જાહેરમાં લગાડાયેલ દેવી-દેવતાઓના ફોટા-પોસ્ટર દૂર કરાવો : સંસ્થાની કલેકટરને રજૂઆત

રાજકોટ : શહેરની ઇમારતો-દિવાલો વગેરે જેવી જાહેર જગ્યાઓ પર દેવી-દેવતાઓનું  અપમાન થાય અને લોકોની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારે જાહેરમાં લગાડવામાં આવેલ. દેવી-દેવતાઓના ફોટા તથા પોસ્ટરો દૂર કરાવવા શહેરની વિવિધ ૧૦ સંસ્થાઓના પ્રતિનિધિઓએ આજે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તે વખતની તસ્વીર. આ આવેદન પત્ર બડા બજરંગ ફાઉન્ડેશન (રામનાથપરા), ગૌરક્ષા,  કનૈયા ગ્રુપ (બેડીપરા), હેવ વીથ હેપીનેસ, શ્રી ગોપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળ, શ્રી સદ્ગુરૂ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કેસરી સેના-૯૧૭૩૦ ૦પ૩ર૯, રાષ્ટ્રીય અસ્મીતા સંઘ (ભગવતીપરા), જય અંબે ગરબી મંડળ (રામનાથપરા), જય મુરલીધર યુવા ગ્રુપ વગેરે સંસ્થાના પ્રતિનિધિઓએ પાઠવ્યું હતું.

(3:50 pm IST)