Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ક્ષત્રિયોને ખેડુતોના ઉભા પાક લણી જનાર કહેનાર ભાજપને ચુંટણીમાં જડબાતોડ જવાબ અપાશે : રાજભા

પાણીતાણાની સભા દરમિયાન માનગઢ કાંડના ઉચ્ચારણો કરી

રાજકોટ તા. ૧ : પાલીતાણાની સભામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વકતવ્યામાં માનગઢ કાંડની ઘટનાને યાદ કરી ક્ષત્રિયોને ખેડુતોના ઉભા પાક લણી જનારા ગણાવ્યા હોય આગામી ચુંટણીમાં જડબાતોડ જવાબ આપવાનો ધ્રુજારો સ્ટેન્ડીગ કમીટીના પૂર્વ ચેરમેન અને યુવા ક્ષત્રિય અગ્રણી રાજભા ઝાલાએ વ્યકત કર્યો છે.

તેઓએ એક યાદીમાં આક્રોશ વ્યકત કરતા જણાવ્યુ છે કે પટેલ સમાજની લાગણી જીતવા આવા શબ્દ પ્રયોગ કરાય તે સાંખી ન લેવાય. ભાજપ પાસે ચુંટણી જીતવા કોઇ મુદા રહ્યા ન હોય જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઉભુ કરવા પ્રયત્નો આદર્યા છે તે ખેદ જનક છે.

ભાજપના આગેવાનો નીતિ નિયમોની વાતો કરે છે પરંતુ પાલીતાણાની સભાના ભાષણો પરથી તેમની નિયત ખોરા ટોપરા જેવી હોવાનું ફલીત થઇ જાય છે. ક્ષત્રિયોને ખેડુતોના ઉભા પાક લઇ જનારા હેનાર ભાજપીઓને ક્ષત્રિય સમાજ ચુંટણીમાં પરચો બતાવશે તેમ અંતમાં રાજભા ઝાલા (મો.૯૮૨૫૪ ૦૬૬૮૬) એ જણાવ્યુ છે.

(5:18 pm IST)