Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ઘાટકોપરમાં ધીરગુરૂદેવની નિશ્રામાં ૧૪ સ્વપ્ન તકતી અનાવરણ : રત્નત્રય તપ

રાજકોટ : શ્રી હિંગવાલાલેન મોટા ઉપાશ્રયે પૂ. દેવેન્દ્રમુનિ મ. સા.ની ઉપસ્થિતિમાં પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં વ્યાખ્યાન હોલ મધ્યે સુવર્ણાક્ષરે અંકિત ૧૪ સ્વપ્ન તકતી અનાવરણ વિધિ દાતા પરીવારના કીર્તીભાઈ કોઠારી, ઉષાબેન ભાયાણી, નયનાબેન રૂપાણી, શોભનાબેન લાખાણી, દક્ષાબેન કામદાર, હંસ - કીર્તિ પરીવાર વગેરેના હસ્તે કરાયેલ.જયારે તા.૧ થી ૩ રત્નત્રય તપમાં શુક્રવારે પંચમ આચાર્ય પૂ. દેવજી સ્વામીની અને રવિવારે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ.સા.ની પૂણ્યતિથિ ઉજવાશે. શ્રમણી વિદ્યાપીઠમાં અનસુયાબેન શેઠ, હીના ગીરીશભાઈ શાહ, કંચનબેન આર. શેઠ, ચંપકબેન સુંદરજી મહેતા વગેરે રૂમ નામકરણ વિધિ રવિવારે યોજાશે. પૂ. શ્રી ધીરજમુનિ મ. સા. હાલ ઘાટકોપરમાં બિરાજમાન છે.

(4:37 pm IST)