Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

વિશ્વશાંતિ માટેના પોસ્ટરનું ઇદના મંચ ઉપર વિમોચન

ધી નોબલ ફાઉન્ડેશન (જયપુર) દ્વારા કાલે

રાજકોટ તા.૧: ધી નોબલ ફાઉન્ડેશન (જયપુર) ઇન્ડિયા દ્વારા વિશ્વશાંતિ તથા ભારત-પાકિસ્તાનના સંબંધો મીઠાસ ભર્યા કરવા માટે એક પોસ્ટરની વિમોચન વિધી દરેક ધર્મના ધર્મગુરૂઓ તથા પ્રતિષ્ઠિત નાગરીકોની પાવન હાજરીમાં શનિવારે સવારે ૧૧ થી ૧૨ કલાકે ઇદેમીલાદના કાર્યક્રમના સ્ટેજ ઉપર, રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે રાખેલ છે તેમાં ભાગ લેવા સર્વે જનતાને નિમંત્રણ છે. સ્વામી વિશ્વઆનંદ સમન્વયકએ એક યાદીમાં જણાવ્યુ છે કે વહાલા નાગરીકો ચાલો આપણે સૌ સાથે મળીને શનિવારે આપણા પયગમ્બર સાહેબના જન્મ દિનના પાવન પર્વને ત્રીવિધ રીતે ઉજવીએ. જન્મદિનની ખુશાલી સાથે સરઘસ દ્વારા શાન્તિ અને ભાઇચારાનો સંદેશો વિશ્વમાં પહોંચાડીએ અને ૧૭ ગરીબ દિકરીઓની સમૂહ શાદી કે જે યુસુફભાઇ જુણેજા અને તેની ટીમ દ્વારા નિકાહ પઢાવાશે તેમાં સામેલ થઇએ.

(8:05 pm IST)