Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

કોંગ્રેસ માટે વિકાસ ભલે મજાક હોય પણ ગુજરાત માટે વિકાસ એ મિજાજ છે : મુખ્યમંત્રી

રાજકોટ : રાજકોટ વિધાનસભા ૬૯ ના ઉમેદવાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિજયઘોષ માટે ભરવાડ સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, માલધારી સમાજ સદૈવ લાગણીસભર છે. માલધારી સમાજના ઉત્સાહથી દેખાય છે ભાજપનો વિજય નિશ્ચિત છે.

ભાજપ ગુજરાતની પ્રજાની નાડ પારખે છે અને ગુજરાતની પ્રજા વિકાસને વરેલી છે. રાજકોટ સમાજના માલધારી સમાજના દિકરા દિકરીઓ ભણી ગણીને ડોકટર એન્જીનીયર બની શકે તે માટે રાજકોટમાં છાત્રાલય શરૂ કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની નિયત માત્ર જ્ઞાતિ, જાતિના વાડા ઉભા કરીને ગંદી રાજનીતિ કરવાની છે. કોંગ્રેસ સુત્ર લાવી હતી કે 'ગરીબી હટાવો' તેની જગ્યાએ ગરીબોને જ હટાવી દીધા છે. કોંગ્રેસ માટે વિકાસ ભલે મજાક હોય પરંતુ ગુજરાત માટે વિકાસ એ 'મિજાજ' છે. વિકાસના નામથી કોંગ્રેસ ડરી ગઈ છે. ગુજરાતના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે જનહિતલક્ષી નિર્ણયો લેવાયા છે. ફરીથી ભારતીય જનતા પાર્ટી બહુમતીથી વિજય મેળવવા માટે ચૂંટણી લડવા જઇ રહી છે. આ વખતે પણ વિકાસની રાજનીતિનો જ વિજય થશે.

સમસ્ત માલધારી સમાજના સ્નેહ મિલનમાં રક્ષાબેન બોરીયા, દિનેશભાઈ ટોળીયા, રઘુભાઈ ધોળકીયા, જીતુભાઈ કાટોડીયા, કાનાભાઇ ચૌહાણ, સતીષભાઈ ગમારા, ભરતભાઈ મકવાણા, ચનાભાઈ ગોહેલ, ગંગાદાસભાઈ જોગરાણા, વિનુભાઈ ટોળિયા, રાજનભાઈ સિંધવ તથા સમાજનાં આગેવાનો વિભાભાઈ જોગરાણા, નાગજીભાઈ વરૂ, નોગાભાઈ ધોળકિયા, ભૂપતભાઈ ટોળિયા, નાથાભાઈ ટોળિયા, સારાભાઈ જોગરાણા, રણછોડભાઈ સાટીયા, ભરતભાઈ બાંભવા, ગોવિંદભાઈ જાપડા, વિરમભાઈ રાતડીયા, મેયા પટેલ, નાજાભાઈ જોગરાણા, રૂપાભાઈ ધોળકિયા, પાંચાભાઈ માટીયા, ભીખાભાઈ ફાંગલીયા, નાજાભાઈ ટોળિયા, બીજલભાઈ તાળીયા, માલાભાઈ કાટોડીયા, ઘુઘાભાઈ મલાભાઈ, કાનાભાઈ સભાડ, કિરીટ મીર, ધીરૂભાઈ સભાડ, સતીષભાઈ ગમારા, હરેશ જાપડા સહિત વિ. હાજર રહ્યા હતા.

(4:19 pm IST)