Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

રાજકોટ યાર્ડમાં ચોથા દિવસે પણ ઘઉંની હરરાજી બંધ

રાજકોટ, તા., ૧ : રાજકોટ (બેડી) માર્કેટયાર્ડ ખાતે તોલાટ પ્રશ્ને  મજુરોની હડતાલના પગલે ચોથા દિવસે પણ ઘઉંની હરરાજી બંધ રહી હતી.

બેડી યાર્ડમાં ઘઉંની હરરાજીમાં તોલાટ પ્રશ્ને વેપારીઓ અને મજુરો વચ્ચે વિવાદ સર્જાયા  બાદ  છેલ્લા ચાર દિ'થી ઘઉંની હરરાજી બંધ છે. મજુરોએ મજુરીના દર વધારવાની માંગણી કરી હતી. વેપારીઓ મજુરીના બદલે યાર્ડમાં વેબ્રીજ શરૂ કરી ત્યાં જ તોલાટ કરાવવા મક્કમ છે.

મજુરો  અને વેપારીઓ પોતાની માંગણીમાં મક્કમ હોય હડતાલ લાંબી ચાલે તેવા એંધાણ મળી રહયા છે.  હડતાલના કારણે ખેડુતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

(8:08 pm IST)