Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ત્રીજી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બાદ

સાતમીએ મનમોહનસિંઘ રાજકોટમાં આત્મીય કોલેજ ખાતે પ્રબુધ્ધો સાથે ચર્ચા

રાજકોટ તા. ૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટમાં તા. ૩ના સભા છે ત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની તા. ૭ના રોજ સભા ગોઠવાઇ રહી છે.

એરપોર્ટથી સર્કિટ હાઉસ ખાતે ટુંકુ રોકાણ કરી સભાને સંબોધન કરવા નિકળશે. તા. ૭ના રોજ મનમોહનસિંઘ ૧૨ કલાકે રાજકોટ ખાસ વિમાન મારફત આવી પહોંચશે અને કોંગ્રેસના પ્રચારમાં આત્મીય કોલેજ ખાતે પ્રબુધ્ધોને સંબોધન કરશે. રાજકોટમાં તેમનો વિધિવત કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે.

તા. ૮ના પ્રચાર તંત્રના વાજા બંધ થઇ જવાના હોવાથી સંભવતઃ રાજકોટમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘની સભા હાઇ પ્રોફાઇલ નેતાની અંતિમ સભા બની રહેશે.

(1:04 pm IST)