Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

શેઠ ઉપાશ્રયે ધાર્મિક કાર્યક્રમો

રાજકોટઃ શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંદ્યના આંગણે રવિવાર ગો.સં.ના સદાનંદી પૂ. સુમતિબાઈ મહાસતિજી આદિ ઠાણા-૬ ના મંગલ સાનિધ્યમાં ડો.પૂ.બા.બ્ર. અમિતાબાઈ મહાસતિજી દ્વારા જૈન વિધિથી લક્ષ્મી પૂજન કરવામાં આવેલ હતું શાસનપતિ પૂ. ભગવાન મહાવીર સ્વામી નિર્માણ દિન કલ્યાણ ઉપલક્ષ બપોરે પુચ્છિસુણં (મહાવીર સ્મૃતિ)નું કરવામા આવેલ હતા. તપસમ્રાટ પૂ.શ્રી રતિલાલજી મ.સા.ના ૧૦૬ મા જન્મદિવસ નિમિત્ત્।ે જાપ કરવામાં આવેલ હતા.લક્ષ્મી પૂજનમાં બીજનેસ એવં સર્વિસ કરતા જેન્ટસ-લેડિસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સર્વ સાથે મળીને લક્ષ્મી પૂજન કરવામાં આવેલ હતું. તેમજ બેસતા વર્ષનું માંગલિક ફરમાવામાં આવેલ હતું.

(4:08 pm IST)