Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મધ્યાહન ભોજન કેન્દ્રમાં સુપરવાઇઝર એમપીના યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

શાસ્ત્રી મેદાન સામે સુચક વિદ્યાલય કમ્પાઉન્ડના મકાનમાં બનાવ

રાજકોટ તા. ૧: શાસ્ત્રી મેદાન સામે આવેલી સુચક વિદ્યાલય કમ્પાઉન્ડમાં આવેલી મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સુપર વાઇઝર તરીકે કામ કરતાં પરપ્રાંતિય યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

સુચક વિદ્યાલય વાળા મકાનમાં બેસતી મધ્યાહન ભોજન યોજના કચેરીમાં સુપર વાઇઝર તરીકે કામ કરતાં મુળ મધ્યપ્રદેશના અનિલ રામબરનભાઇ (ઉ.૧૯) નામના યુવાને પંખામાં ઓછાડ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં પ્ર.નગરના પી.એસ.આઇ. બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાન એકાદ વર્ષથી મધ્યાહન ભોજન યોજનામાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો અને અહિ જ રહેતો હતો. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે વિગતો બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:47 pm IST)