Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

જંકશન રેલ્વે સ્ટેશન રોડ પર રવિવારે જલરામ બાપાને અન્નકોટ ધરાવશે : જન્મોત્સવની થશે ભાવભેર ઉજવણી

રાજકોટ તા. ૧ : આગામી કારતક સુદ સાતમના રવિવાર તા. ૩ ના શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ ધામધુમથી ઉજવવા જંકશન પ્લોટ શ્રી રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે તા. ૩ ના રવિવારે ભાટીયા બોર્ડીંગ ભવન, જંકશન રેલ્વે સ્ટેશન રોડ ખાતે પૂ. જલરામ બાપાનું ભાવથી સ્થાપન કરી સાંજે ૬.૩૦ વાગ્યે વાગ્યે આરતી પૂજન કરાશે. વિવિધ મીઠાઇ અને ફરસાણનો પૂ. બાપા સન્મુખ અન્નકોટ ધરાવી દર્શન ખુલ્લા મુકવામાં આવશે.

બાદમાં ૭ વાગ્યાથી ભાઇઓ બહેનો ભાવિક ભકતો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ છે. અંદાજે ૧૧૦૦૦ લોકો લાભ લેશે. ગુંદી ગાંઠીયા, રોટલી, શાક, ખીચડી, કઢી, સંભારો, છાસ, પાણી પીરસાશે.

પૂ. જલારામ બાપાના સાનિધ્યમાં આયોજીત આ મહોત્સવમાં સૌકોઇએ પધારવા શ્રી રામેશ્વર ચેરીટેબલટ ટ્રસ્ટના સર્વશ્રી જનકભાઇ કોટક, જગદીશભાઇ ભોજાણી, ભરતભાઇ કોટક, હેમુભાઇ પરમાર, જેષ્ઠારામભાઇ ચતવાણી, પરાગભાઇ કોટક, શૈલેષભાઇ આહ્યા, શરદભાઇ કારીયા, પ્રતાપભાઇ કોટક, જે. કે. પોપટ, પ્રભુદાસભાઇ રાજવીર, જીતુભાઇ પાંધી, મનોજભાઇ લાલ, ચંદુભાઇ રાચ્છ, અશોકભાઇ દવે, નરોતમભાઇ પુજારા, કિશોરભાઇ દરજી, સુરેશભાઇ રાઠોડ, જતીનભાઇ રાજદેવ, જતીનભાઇ ગણાત્રા, રવીભાઇ ટંડન, સચીનભાઇ ઠકકર, સંજયભાઇ રાચ્છ, તેજાભાઇ સાકરીયા, અશોકભાઇ ભુપતાણી, દીનુભાઇ ચંદારાણા, સુરેશભાઇ બેલાણી, વર્ષાબેન કકકડ, અમીચંદભાઇ હીંગવારા, લતાબેન રાજદેવ, કાનભાઇ માણેકે અનુરોધ કરેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે મોભી શ્રી કિરીટભાઇ સમક્ષ વિગતો વર્ણવતા શ્રીરામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:26 pm IST)