Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

જલારામબાપાની જન્મ જયંતિએ સરકાર ખાસ રજા જાહેર કરેઃ કલેકટરને આવેદન

પૂ. જલારામબાપાની જન્મ જયંતિએ રજા જાહેર કરવા સંદર્ભે આગેવાનો હસુભાઈ ચંદારાણા, નીતિન નથવાણી, કાશ્મીરાબેન નથવાણી વિગેરેએ કલેકટરને આવેદન પાઠવ્યું ત્યારની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજ૪કોટ, તા. ૧ :. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ અને આગેવાનોએ કલેકટરશ્રીને આવેદન પાઠવી ઉમેર્યુ હતુ કે, સમગ્ર વિશ્વમાં કરોડો ભકતોના આરાધ્યદેવ પૂ. જલારામબાપાની જન્મ જયંતિ કારતક સુદ સાતમના આવે છે. અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આ દિવસે જાહેર રજા આપવામાં આવે જેથી કરોડો શ્રધ્ધાળુઓની આસ્થા પૂર્ણ થાય શ્રધ્ધા સાથે ભકિત કરી શકે. એક પણ પૈસાનું દાન કે ધર્માદો લીધા વીના સતત સદાવ્રત ચાલતુ વિશ્વ આખામાં એક માત્ર મંદિર કે ધામ હોય તો તે વિરપુરનું જલારામ ધામ છે તેમ પણ ઉમેરાયુ હતું.

આવેદન દેવામાં આગેવાનો સર્વશ્રી હસુભાઈ ભગદે, કાશ્મીરાબેન નથવાણી, નીતિન નથવાણી વિગેરે જોડાયા હતા.

(3:50 pm IST)