Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

નંદનવન પાર્કના પ્રજાપતિ વૃધ્‍ધનું રવિ પાર્કમાં ઇલેક્‍ટ્રીશીયનના ઘરે શંકાસ્‍પદ મોત

પંખો રિપેર કરાવવો હોઇ કારીગરને બોલાવવા આવ્‍યા ત્‍યારે ઓચીંતા ઢળી પડયાઃ માથામા ઇજા હોઇ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૧: દોઢસો ફુટ રીંગ રોડ પર ગુલમહોર રેસિડેન્‍સી પાસે ક્રિષ્‍ના, નંદનવપાર્ક-૨માં રહેતાં વિનોદભાઇ મગનભાઇ શેરડીયા (પ્રજાપતિ) (ઉ.વ.૬૬) નામના વૃધ્‍ધ પ્રેમ મંદિર સામે રવિ પાર્ક-૨માં ઇલેક્‍ટ્રીશીયનના ઘરે આવ્‍યા ત્‍યારે ત્‍યાં તેનું મોત નિપજતાં પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવ્‍યું છે.
વિનોદભાઇને ઘરનો પંખો રિપેર કરાવવો હોઇ તેઓ રવિ પાર્કમાં રહેતાં પરપ્રાંતિય ઇલેક્‍ટ્રીશીયનના ઘરે તેને બોલાવવા આવ્‍યા હતાં. જ્‍યાં તેમનું મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના કુલદિપસિંહ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. જેની ઘરે તેઓ આવ્‍યા હતાં તેના કહેવા મુજબ તેઓ એકાએક ઢળી પડયા હતાં અને તેના કારણે માથામાં ઇજા થઇ હતી. હાર્ટએટેક આવ્‍યાની શક્‍યતા દર્શાવાઇ હતી.
જો કે માથામાં ઇજા હોઇ અન્‍ય કંઇ બન્‍યું નથી ને? તે જાણવા પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવ્‍યું હતું. મૃતકનેસંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. પોતે બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનારના પુત્રને રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે ક્રિષ્‍ના હોસ્‍પિટલ પાસે મેડિકલ સ્‍ટોર છે.

 

(3:44 pm IST)