Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

૧૬મીએ સુદેશ ભોંસલે રાજકોટમાં

માણવા જેવી સ્વર સફર : એવરગ્રીન સોંગ્સ વિથ સુદેશ ભોંસલે

અમિતાભ બચ્ચ ૧૧ ઓકટોબરે પોતાનો જન્મદિન ઉજવે છે. દર વરસે હિન્દી ફિલ્મોના મહાનાયકને એમના બર્થડેના દિવસે દુનિયાભરમાંથી શુભેચ્છા મળે છે. આપણને મનમાં કયારેક એવો સવાલ થાય કે શું બચ્ચનસાહેબ પણ પોતાના મિત્રો, સંબંધીઓ, સાથી કલાકારો અને મહાનુભાવોને એમના જન્મદિને શુભેચ્છા પાઠવતા હશે? જાણીને નવાઈ લાગે કે આટલી જૈફ વયે પણ કામમાં ગળાડુબ રહેતા અભિનેતા આ બાબતમાં એકદમ ચોક્કસ છે. તેઓ મિત્રોને બર્થ ડે વિશ કરવાનું ભાગ્યે જ ચુકે છે. ગાયક સુદેશ ભોંસલે એની સાક્ષી પુરતા કહે છે, 'કેટલાક વર્ષ પહેલા અમિતજીને કયાંકથી ખબર પડી કે મારો બર્થ ડે ૧ જુલાઈએ આવે છે ત્યારથી મારા જન્મદિનની આગલી રાતે બાર વાગ્યાને એક મિનિટે મને એમનો બર્થ ડેની શુભેચ્છા આપતો મેસેજ મળી જ જાય છે. આજ સુધી એમાં ફેર નથી પડયો.'

અમિતાભ બચ્ચન અને સુદેશ ભોંસલે વચ્ચે લગભગ ચાર દાયકા જૂનો સંબંધ છે. અમિતાભ પોતાના ઘુંટાયેલા ઘેઘુર અવાજ માટે જાણીતા છે. કયારેક કોઈક ફિલ્મમાં હાજરી નોંધાવા માટે એમનો અવાજ જ પૂરતો થઈ પડે છે. બચ્ચનની મિમિક્રી ઘણાં આર્ટિસ્ટોએ કરી છે પણ અદલ એમના જેવા અવાજમાં ગાવાનો શ્રેય એક જ કલાકારને ફાળે જાય છે અને એ છે સુદેશ ભોસલે. માત્ર નિર્માતા- દિગ્દર્શકો જ નહિ અમિતજી પોતે પણ માને છે કે આબેહુબ મારા જેવા અવાજમાં ગીત ગાઈ શકે એવા આ એક જ ગાયક છે. ઘણી વાર એવું બન્યું છે કે અભિનેતાના અવાજમાં કોઈ ફિલ્મના ગીતનું રેકોર્ડિંગ થઈ ગયું હોય પણ એમને પોતાને એનાથી સંતોષ ન થતા એમણે સુદેશજીના અવાજમાં ફરીથી ગીતનું રેકોર્ડિંગ કરાવ્યું હોય.

સુદેશ ભોંસલે આવો જ એક કિસ્સો યાદ કરતા કહે છે કે, ફિલ્મ 'મૃત્યુદાતા'નું બહુ લોકપ્રિય થયેલું ગીત 'ના ના ના નારે'પહેલા અમિતજી અને દલેર મહેંદીના અવાજમાં રેકોર્ડ થયું હતું. બધાને એ ગીત બહુ ગમ્યું હતું પણ અમિતજીએ પ્રોડયુસર પાસે એવો આગ્રહ દર્શાવ્યો કે આ ગીત સુદેશ ભોંસલેના વોઈસમાં ફરીથી રેકોર્ડ કરો અને એવું જ થયું.

આવા ધુરંધર ગાયક રાજકોટના મહેમાન બનવા જઇ રહ્યા છે અને તેમના અવાજથી લોકોને મંત્રમુગ્ધ પણ કરશે. સુદેશ ભોંસલે નો કાર્યક્રમ ' એવરગ્રીન સોંગ્સ વિથ સુદેશ ભોંસલે' લઇ ને આવી રહ્યા છે બોલીવુડ ઇવેન્ટ અને તાજેતરમાં અન્વેષા ના હાઉસફુલ કાર્યક્રમથી જેની શરૃઆત થઇ છે તેવી 'તાલ તરંગ સંસ્થા' ના ભારતીબેન નાયક. આમાં સંસ્થામાં સભ્ય બનનારને બોલીવુડના ધુરંધર ગાયકોને સાંભળવાનો અમૂલ્ય અવસર મળશે. તાલ તરંગ સંસ્થામાં કપલ કે ગ્રૂપમાં સભ્ય બનવા ભારતીબેન નાયક (૯૮૯૨૬ ૨૫૭૬૮) નો વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરી શકાય છે.

'તાલ તરંગ' સાથે જોડાઇ જાવ :  એકથી એક ચઢીયાતા કાર્યક્રમો માણો

૧૬ ઓકટોબરે  સુદેશ ભોંસલે રાજકોટને ડોલાવવા આવી રહ્યા છે ત્યારે

રાજકોટ : ઓલ બોલીવુડ ઇવેન્ટ્સ દ્વારા ગણત્રીના દિવસો પછી ૧૬ ઓકટોબરે રાજકોટ - સૌરાષ્ટ્રની જનતાને તરબોળ કરી દયે તેવો યાદગાર ગીતોનો સંગીત મઢયો 'સુપર સ્ટાર પ્લેબેક સીંગર સુદેશ ભોંસલે'નો જબરજસ્ત પ્રોગ્રામ સરગમ સંચાલિત હેમુ ગઢવી હોલમાં આવી રહ્યો છે. દેશના સુવિખ્યાત ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ભારતી નાયકના નેજા હેઠળ ઓલ બોલીવુડ ઇવેન્ટસ દ્વારા અને તાલ-તરંગ કલબના સંગાથે આ કાર્યક્રમ માણવા રાજકોટીયનો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સુદેશજીનો સંગાથ આપવા મુંબઇના પ્રખ્યાત સીંગર્સ મદન શુકલા, અર્પિતા ઠક્કર અને સાથે મનીશા કરંદીકર તથા આર.જે.ગૌરવ પણ રાજકોટીયનોને સંગીતની દુનિયામાં રસતરબોળ કરવા આવી રહ્યા છે.

આ શોની અલગથી ટિકિટ ખરીદવાના મોટા ખર્ચને બદલે આજે જ તાલ-તરંગ કલબના સદસ્ય બની જાવ અને વર્ષમાં સુપર-ડુપર ફિલ્મી જગતના યાદગાર ગીતોના ૭ કાર્યક્રમો (૬ કાર્યક્રમ + ૧ બોનસ પ્રોગ્રામ) સહ પરિવાર, મિત્રો, મહાનુભાવો સાથે અચૂક માણો. ટિકીટ ખરીદવાની ઝંઝટમાંથી છૂટી જાવ (સંપર્ક : ભારતીબેન નાયક ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

દોઢ દાયકાનો અનુભવ : ઓલ બોલીવુડ ઇવેન્ટના ભારતી નાયક દ્વારા તમામ પ્રકારના મ્યુઝીકલ શો

અને ઇવેન્ટસનું આયોજન : અચૂક લાભ લ્યો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્ગસ, લગ્ન - સગાઇ સહિતના

પ્રસંગોએ સંગીત સંધ્યા, ઇન્ડીયન કલાસીકલ સોંગ્સ,

ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ

પ્રકારના મ્યુઝીકલ શો (સંપર્ક : ભારતી નાયક :  ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧

(3:35 pm IST)