Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટના પદાધિકારી-ત્રણ ધારાસભ્યોને જવાબદારી

પ્રચાર માટે ઉદય કાનગડ, અરવિંદ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઇ સાગઠિયા કાલે મુંબઇના ચૂંટણી પ્રવાસે રવાના થશે

રાજકોટ તા.૧: નજીકના સમયમાં મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર માટે રાજકોટમાં પદાધિકારી અને ત્રણ ધારાસભ્યોને જવાબદારી સુપ્રત  કરાઇ છે જે અનુસંધાને આવતિકાલે તેઓ ચારેય મુંબઇ જવા રવાના થશે.

આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડે વિસ્તૃત વિગતો આપતાં જણાવેલ કે મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મુંબઇની બે બેઠકોના ચૂંટણી પ્રચાર માટે ગુજરાત ભાજપને જવાબદારી સુપ્રત કરાઇ છે જે અનુસંધાને રાજકોટ મહાનગરમાંથી સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ તેમજ ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠિયા અને ગોવિંદભાઇ પટેલને આવતિ કાલથી મુંબઇના ચુંટણી પ્રવાસ માટે જવાનો આદેશ પ્રદેશ ભાજપ કાર્યાલયમાંથી થયો છે. મુંબઇમાં આ ચારેય પદાધિકારીઓ ગુરૂવારે મળનાર બેઠકમાં ઉપસ્થીત રહી ચૂંટણી-પ્રચાર-માટેના આગોતરી રૂપરેખા તૈયાર કરી કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપશે.

(4:14 pm IST)