Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

સોની બજારનાં લાખોના ઘરેણાંની ઠગાઇના ગુનામાં બે આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા.૧: રાજકોટના સોની બજારના ચકચારી લાખો રૂપિયાના સોનાના ઘરેણાની છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં બંને આરોપીઓની રેગ્યુલર જામીન અરજીને સેશન્સ અદાલતે રદ કરી હતી.

આ કામે બનાવની ટુંકી વિગત જોવા આવે તો ફરીયાદી મુજીબુલ ઉર્ફે મનજીત સુફુરઅલી મલીકે ભકિતનગર પો.સ્ટેમાં તા.૭-૯-૨૦૧૯ના આરોપીઓ કિરીટભાઇ પ્રભુદાસભાઇ ફીચડીયા તથા સંજય કનુભાઇ લોઢીયાવાળાઓ વિરૂધ્ધ પોતાની સાથે પુર્વયોજીત ગુન્હાહીત કાવતરૂ રચી આશરે ૧૩ લાખ રૂપિયાના સોનાના ઘરણેાની ઉચાપત કરી વિશ્વાસઘાત કરવા અંગેની ફરીયાદ આપેલી જેથી પોલીસે આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦ તથા ૧૨૦(બી) અન્વયે ગુન્હો દાખલ કરેલ.

બંને આરોપીઓનો ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા આરોપીઓના રીમાન્ડ મંજુર થયેલા. પરંતુ આક્ષેપીત ૪૧૫ ગ્રામ આશરે ૧૩ લાખનું સોનું ઓળવી જવાની જે ફરીયાદ હતી તેમાંથી કાંઇ રીકવર થઇ શહેલ નહીં. રીમાન્ડના અંતે પોલીસે આરોપીઓને કોર્ટમાં ફરીથી રજુ કરતા આરોપીઓને જામીન ઉપર છુટવા અરજી કરતા મેજી. અને.આર.વાઘવાણીએ બંને આરોપીઓની અરજી નામંજુર કરેલ અને આરોપીઓને જેલમાં મોકલી આપેલ હતાં.

જેલમાં રહેલ આરોપીઓએ રાજકોટની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં પોતાના વકિલ મારફત જામીન ઉપર છુટવાની અરજી કરેલ હતી.

આરોપીનો રોલ ગુન્હાના કામે ધ્યાને લેતા ગુનાની ગંભીરતા વધી જાય છે તેવા સંજોગોમાં આરોપી વિરૂધ્ધ આક્ષેપીત ગુનાનો પ્રકાર તથા હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના માર્ગદર્શક સિધ્ધાંતો ધ્યાને લઇ બંને આરોપીઓની જામીન અરજી રાજકોટના એડી. સેશન્સ જજ રી કે.ડી.દવે મેડમએ નામંજુર કરેલ છે.

આ કામમાં સરકારશ્રી વતી સરકારી વકીલ શ્રી રક્ષિત કલોલા તથા મુળ ફરીયાદી વતી વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ બી. જાડેજા, ભરત સોમાણી, શિવરાજસિંહ ઝાલા, હનીફ કટારીયા તથા શકિત ગઢવી રોકાયેલ હતા.

(3:58 pm IST)