Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

આપાગીગાના ઓટલે નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવ

બ્રહ્મદેવો દ્વારા દરરોજ હોમાત્મક અને પાઠાત્મક હવન : અન્નકોટ - મહાપ્રસાદ : દશેરાએ સંતો - મહંતોના હસ્તે ૧ હજાર ગરબી મંડળની હજારો બાળાઓને લ્હાણી વિતરણ - રોકડ ભેટપૂજા પ્રસાદી રૂપે અપાશે : પ્રથમ ગરબી મંડળને ૧૧,૧૧૧ : દ્વિતીય ગરબીને ૭,૭૭૭ અને તૃતીય ગરબીને ૫,૫૫૫નો પુરસ્કાર ઈનામરૂપે અપાશે : ગરબી મંડળોએ નામ નોંધણી કરાવી લેવી : દરેક બાળાઓને લ્હાણી અપાશે : દર વર્ષની માફક દશેરાએ સૌરાષ્ટ્રભરમાંથી ચોટીલા, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો તેમજ આસપાસના ગામોની ૧ હજારથી વધુ ગરબી મંડળની બાળાઓને ભેટ લ્હાણી અપાશે : ગરબી મંડળની બાળાઓ, ભાવિકો, કાર્યકરોને લાભ લેવા નરેન્દ્રબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુ દ્વારા જાહેર આમંત્રણ : માતાજીની આરાધનાનો અનેરો ઉત્સવ સંતો - મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં નામાંકિત લોકગાયિકા પૂનમ ગોંડલીયા અને લોકગાયક વિશાલ વરૂ ઓરકેસ્ટ્રા સાથે માતાજીની આરાધના કરાવશે

રાજકોટ, તા. ૧ : શ્રી આપાગીગાના ઓટલાની સેવાના સુવાસથી સમગ્ર ભારત સહીત દેશ વિદેશના અનેરી ખ્યાતી પ્રાપ્ત કરનાર ૧૮ કોમ (વરણ) તેમજ દરેક જ્ઞાતિની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર શ્રી આપાગીગાનો ઓટલો દ્વારા માં દુર્ગાના નોરતાના પ્રસંગે શ્રી દિવ્યાતિદિવ્ય ભવ્યાતિ ભવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનું દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આસો સુદ-૧ તા.૨૯-૯ રવિવારના પ્રથમ નોરતાથી આસો સુદ-૧૦ તા.૦૮-૧૦ મંગળવાર દશેરા સુધી દરરોજ બ્રહ્મદેવો દ્વારા સવારથી બપોરે સુધી હોમાત્મક તેમજ પાઠાત્મક હવન કાર્યો ચાલુ હોય છે. આ ધાર્મિક મહોત્સવની ઉજવાણી તા.૦૮- ૧૦, મંગળવારથી સવારે ૯ વાગ્યાથી કરવામાં આવશે. જેનું બિડુ હોમવાનો તા.૦૮-૧૦, મંગળત્રાર બપોરના ૪-૧૫ કલાકનો રાખળામાં આવેલ છે. દશેરાના દિવસે સવારે ૧૦ કલાકે માં ભગવતીના અન્નકોટ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્યારબાદ અન્નકોટ પ્રસાદનું ઉપસ્થિત દરેક માં ભગવતીના સ્વરૂપ દિકરીઓને તેમજ મહેમાનોને અન્નકોટ પ્રસાદ તેમજ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે દરેક ગરબી મંડળના સંચાલકશ્રીઓને, દરેક ગરબી મંડળની બાળઓને, દરેક ધર્મપ્રેમી માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો,બાળકોને તેમજ દરેક કાર્યકતા ભાઇઓ-બહેનોને આમંત્રણ અપાયુ છે.

જગત જનની અખિલ બ્રહ્માંડની અધિશ્વરી માતાના નવલા નોરતાની ઉજવણીમાં સમગ્ર ધર્મપ્રેમી જનતા ભકિતમય બની ચુકી છે. ત્યારે શ્રી આપાગીગાના ઓટલે પણ નવરાત સુધી સતત ધાર્મિક આયોજનનો ધમધમાટ જોવા મળી રહયો છે. આ તમામ ધર્મ મહોત્સવનો રોજે રોજ લાભ લેવા માટે તમામ ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી લાભ લઇ રહેલ છે ત્યારે શ્રી આપાગીગાના ઓટલોના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ આગામી દશેરાના દિવસે યોજાનારા ખાસ વિવિધ ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ તેમજ પ્રસાદી સ્વરૂપે રોકડ (ભેટપૂજા) આપવાના ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

આ સમગ્ર મહોત્સવ દરમિયાન રોજે રોજ ઉપસ્થિત તમામ ભાવિકજનો માટે વિશેષ મહાપ્રસાદનું આયોજન પાણ કરાયું છે. આ નવરાત્રી નિમિતે ચોટીલા તાલુકા, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર જીલ્લો તેમજ સૌરાષ્ટ્રની દરેક ગરબી મંડળની બાળાઓ તેમજ કાર્યકર્તાઓને વિશેષ મહાપ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી આપાગીગાના ઓટલે આયોજીત આ દિવ્ય મહોત્સવમાં દરેક ગરબી મંડળની બાળાઓને તા.૦૮-૧૦ મંગળવાર (દશેરા) ના દિવસે સવારે ૯ કલાકે શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ મહંત શ્રી, શ્રી આપાગીગાના ઓટલો ચોટીલા તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી પધારેલા અન્ય સંતો મહંતોના હસ્તે લાહણી વિતરણ તેમજ રોકડ (ભેટ પૂજા) પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે.

શ્રી આપાગીગાના ઓટલે ૨૪ કલાક વિનામુલ્યે અન્નક્ષેત્ર ધમધમી રહયું છે તથા રોજના હજારો લોકો દ્વારા મહાપ્રસાદનો લાભ લઇ રહયા છે. ભારતીય સંસ્કૃતિ મુજબ સમગ્ર દેશની અંદર ધાર્મિક તહેવારોનું વિશેષ મહત્વ હોય દરેક ધાર્મીક તહેવારોનું ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી પણ કરવામાં આવે છે. આ દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ અખબારી યાદીમાં જણાવ્યું છે.

દશેરા નિમિત્તે આયોજન આ મહાયજ્ઞ અને સમગ્ર કાર્યક્રમની શરૂઆત તા.૦૮-૧૦,મંગળવાર સવારે ૯ કલાકથી થઈ જશે. તો તમામ ભાવિક ભકતોએ સવારે ૯૦ કલાકે સમયસર શ્રી આપાગીગાના ઓટલે પહોંચીને ધર્મમહોત્સવનો લાભ લેવા તથા બપોરના આ નિમિત્ત્।ે વિશેષ અન્નકોટ પ્રસાદ તેમજ ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ નવરાત્રી મહોત્સવમાં તા. ૦૮-૧૦, મંગળવાર (દશેરા)ના આયોજન નિમિતે માતાજીની આરાધના કરવામાં આવશે. આ આયોજનમાં ભાગ લેનાર ગરબી મંડળમાંથી પ્રથમ ગરબી મંડળ ને રૂ. ૧૧૧૧૧, દ્વિતિય ગરબી મંડળ ને રૂ. ૭૭૭૭, તૃતિય ગરબી મંડળને રૂ. ૫૫૫૫ પુરસ્કાર ઇનામ આપવામાં આવશે. પરંતુ આ ઇનામ મેળવવા માટે તમામ ગરબી મંડળને પોતાનું રજીસ્ટ્રેશન સવારે ૧૦-૩૦ પહેલા કરાવી લેવાનું રહેશે. ત્યાર બાદ રજીસ્ટ્રેશન કરવનાર દરેક દિકરીઓને લ્હાણી તેમજ રોકડ ભેટ પૂજા આપવામાં આવશે.

આ મહોત્સવમાં તા. ૦૮-૧૦, મંગળવાર (દશેરા) નિમિતે સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ગુજરાતના નામાંકિત લોક ગાયિકા પૂનમ ગોંડલીયા અને લોક ગાયક વિશાલ વરૂ ઓરકેસ્ટા સાથે માતાજીની આરાધના કરાવશે.

શ્રી દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવના મહાયજ્ઞ બાદ બીડુ હોમવાનો તેમજ પૂર્ણાહુતીનું આયોજન તા.૦૮- ૧૦, મંગળવાર સાંજે ૪-૧૫ કલાકે રાખવામાં આવેલ છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક જગ્યાઓના સંતો મહંતો પાગ વિશેષ ઉપસ્થ્તિ રહેશે. આ ધાર્મિક પર્વનો લાભ લેવા શ્રી નરેન્દ્રબાપુ દ્વારા અનુરોધ કરાયો છે.

(11:56 am IST)