Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ગાંધી જયંતિએ વાલ્મીકી સમાજની પગપાળા રેલી : બાપુને પુષ્પાંજલી : સાથે ભોજન લેશે

સંગઠન હી વો શકિત હૈ જો સમાજ કો હક્ક દિલવા શકતી હૈ... : ત્રિકોણબાગ ખાતેથી રેલીનો પ્રારંભ, ગાંધીજીની પ્રતિમાને વંદના કરાશે : સફાઈ કામદાર જાગૃતિ મંડળ દ્વારા ૨૦ વર્ષથી થતુ આયોજન : જ્ઞાતિજનોને ઉમટી પડવા અનુરોધ

રાજકોટ, તા. ૨૦ : આગામી તા.૨ ઓકટોબરે પૂ.મહાત્મા ગાંધીજીની જન્મજયંતિએ વાલ્મીકી સમાજ અને સફાઈ કામદાર જાગૃતિ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલી સાથે પૂ.બાપુની પ્રતિમાને પુષ્પાંજલી વંદનાનું આયોજન કરવામાં આવેલ છે.

તા.૨ ઓકટોબરના બુધવારે સવારે ૧૧ કલાકે ત્રિકોણબાગથી પગપાળા રેલી શરૂ થશે. જે જયુબેલી બાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરશે. ત્યારબાદ સમસ્ત જ્ઞાતિજનો માટે ભોજન સમારંભ રાખવામાં આવેલ છે.

આયોજનને સફળ બનાવવા બટુકભાઈ વાઘેલા, ગોપાલદાસભાઈ, બાવનભાઈ ચુડાસમા, ધસીભાઈ પરમાર, રાજુભાઈ વાઘેલા, કૌશિકભાઈ સોઢા, સાગરભાઈ ચૌહાણ, કમલેશભાઈ ઝાલા, લલીતભાઈ પરમાર, શ્યામભાઈ તથા શ્રી સફાઈ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભાઈ બારૈયા, સહમંત્રી અતુલભાઈ ઝાલા, ખજાનચી મનસુખભાઈ વાઘેલા, કાર્યાલયમંત્રી અશોકભાઈ બારૈયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:41 pm IST)