Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

જંકશનમાં રેલ્વે પુલ પરથી પડતું મુકી મુળ પટનાના વૃધ્ધાની આત્મહત્યા

માનસિક બિમારી કારણભુતઃ રાજકોટ દિકરાને ત્યાં રહેતાં હતાં

રાજકોટ તા. ૧: રવિવારે સાંજે રૂખડીયા કોલોનીમાંથી જંકશન સ્ટેશન પર આવવા માટેના જુના પુલ પરથી એક વૃધ્ધાએ પડતું મુકી આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં રેલ્વે પોલીસ મથકના હેડકોન્સ. રઘુવીરસિંહે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. તપાસ થતાં આ વૃધ્ધા ભકિતનગર સર્કલ પાસે દિકરા સાથે રહેતાં મુળ બિહાર પટનાના તારાદેવી સુરેશભાઇ ગુપ્તા (ઉ.૬૨) હોવાનું ખુલ્યું હતું. માનસિક બિમારીને લીધે આ પગલું ભરી લીધાનું પણ બહાર આવ્યું હતું.

આપઘાત કરનાર વૃધ્ધા હાલ રાજકોટ પુત્ર સાથે રહેતાં હતાં. માનસિક બિમારીની દવા પણ ચાલુ હતી. બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. (૧૪.૧૦)

(4:10 pm IST)