Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

મા આશાપુરા પદયાત્રી સંઘનું કાલે રાજકોટથી પ્રસ્થાન

તા. ૧૦ ના માતાના મઢ આશાપુરાના મંદિરે પહોંચશેઃ જોડાવા ઇચ્છુકોને હજુએ નામ નોંધાવી લેવા આહવાન

રાજકોટ તા. ૧ : પવિત્ર નવરાત્રિ નજીક આવતા માતાના મઢ કચ્છ તરફના માર્ગો પદયાત્રીઓથી ધમધમવા લાગ્યા છે. રાજકોટથી માં આશાપુરા સંઘ દ્વારા કાલે તા. ૨ ના મંગળવારે પ્રસ્થાન કરાશે.

જયદેવસિંહ જાડેજા, સુખદેવસિંહ ઝાલાની આગેવાની હેઠળના આ પદયાત્રીક સંઘને કાલે તા. ૨ ના મંગળવારે માં આશાપુરા પદયાત્રી સંઘ કાર્યાલય, પેલેસ રોડ ખાતેથી સવારે ૬ વાગ્યે પ્રસ્થાન કરાવાશે. બપોરે રતનપર રામ મંદિરે ભોજન લઇ ૩.૩૦ વાગ્યે આગળ રવાના થશે. પ્રથમ દિવસનું રાત્રી રોકાણ હરીપર પાટીયે મહાદેવજી મંદિરે છે.

તા. ૩ ના બુધવારે શનાળા ગામ શકિત માતાના મંદિરે, તા. ૪ ના ગુરૂવારે સુરજબારી ચેક પોષ્ટ ખાતે રાત્રી રોકાણ અને તા. ૫ ના શુક્રવારે વોંઘથી આગળ બાપાસીતારામ મઢુલી રવેચી મિત્ર મંડળના કેમ્પ પર રાત્રી રોકાણ કરાશે. તા. ૬ ના શનિવારે અંજારગામ બાયપાસ ચંદ્રમૌલેશ્વર મંદિરે અને તા. ૭ ના રવિવારે માધાપર જીઇબીથી આગળ થરપારકર લોહાણા લોહાણા યુવક મંડળમાં રાત્રી રોકાણ કરાશે. તા. ૮ ના સોમવારે દેશલપરથી આગળ દાદા દાદીની વાડી ખાતે અને તા. ૯ ના મંગળવારે ઉગેળી કેમ્પ ખાતે અને તા. ૧૦ ના બુધવારે માતાના મઢ કચ્છ ખાતે પહોંચી જશે.

સાથે જોડાવા ઇચ્છુકોએ નામ નોંધાવવા આશાપુરા પદયાત્રી સંઘ, આઇ.ઓ.સી. બેંક સામે, પેલેસ રોડ કાર્યાલય ખાતે હજુએ કાલે સવારે ૯ સુધીમાં નામ નોંધાવી જોડાઇ જવા જયદેવસિંહ જાડેજા (મો.૯૮૨૫૩ ૫૩૧૬૧) અને સુખદેવસિંહ ઝાલા (મો.૯૬૨૪૭ ૩૯૦૫૩) એ અનુરોધ કરેલ છે. (૧૬.૫)

(4:01 pm IST)