Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

પાંજરાપોળ પાસે એકટીવા દીવાલ સાથે અથડાતા મનીષાબેન પટેલનું મોતઃ ૫ વર્ષની પૌત્રીને ઇજા

પટેલ પ્રૌઢા પૌત્રી સાથે રણછોડનગરમાં આવેલી પોતાની ડેરીએ જતા'તા

રાજકોટ તા.૧: ભાવનગર રોડ પર પાંજરાપોળ પાસે એકટીવા દીવાલ સાથે ભટકાતા પટેલપ્રૈઢાનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. જયારે પાંચ વર્ષની પૌત્રીને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે.મળતી વિગત મુજબ સામાકાંઠે આવેલી કબીરવન સોસાયટીમાં રહેતા પટેલ પ્રૌઢા મનીષાબેન જયંતીભાઇ પાનસુરીયા (ઉ.વ.૫૫) ગઇકાલે તેની પ વર્ષની પૌત્રી મિશરી સાથે ઘરેથી જીજે ૩જેડી-૯૪૧૪ નંબરનું એકટીવા લઇને રણછોડનગરમાં આવેલી પોતાની ડેરીઓ જવા માટે નિકળ્યા હતા. ત્યારે તે સંતકબીર રોડ પર થઇને ભાવનગર રોડ પર વળાંક વાળવા જતા મનીષાબેન એકટીવા પરનો કાબુ ગુમાવતા એકટીવા પાંજરાપોળ પાસે દીવાલ સાથે ભટકાતા પડી જતા બંનેને માથાના ભાગે ઇજા થઇ હતી.બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને કોઇએ જાણ કરતા ૧૦૮ મારફતે દાદી-પૌત્રીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં મનીષાબેન પાનસુરીયાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. મૃતક મનીષાબેનને સંતાનમાં બે પુત્ર છે બનાવની જાણ થતા બીડીવીજન પોલીસ મથકના પીએસ આઇ એમ.એમ.ઝાલા સહિતે તપાસ આદરી છે.

(3:44 pm IST)