Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ઈન્દીરા સર્કલ બન્યુ ગોકુળધામઃ સાંજથી પ્રારંભ

હિંડોળા દર્શન- રાસોત્સવ- ઘોડીરાસ- કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશેઃ ભાવિકોને આમંત્રણ

રાજકોટ,તા.૧: અહિંના ઈન્દીરા સર્કલ ખાતે કનૈયા સોશ્યલ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન થયું છે. જેનું આજે સાંજે ૫ કલાકે ધર્મપ્રેમીજનો માટે ખુલ્લુ મુકવામાં આવશે. ધર્મપ્રેમીજનો  હિંડોળા દર્શન રાસોત્સવ, ઘોડીરાસ, મટકીફોડ તેમજ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

જન્માષ્ટમી મહોત્સવનું ઉદ્દઘાટન શહેર- ભાજપ પ્રમુખ કમેલશભાઈ મિરાણી, પુષ્કરભાઈ પટેલ, અખીલ વિશ્વ ગૌ- સુરક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રમેશભાઈ ધામેચા, વિક્રમભાઈ પુજારા કનૈયા સોશ્યલ ગ્રુપના કાર્યકર્તા તેમજ ભરવાડ સમાજના આગુેવાનો દ્વારા કરવામાં આવશે.તા.૨ના રવિવારે રાત્રે ૯ થી ૧૨ ધર્મપ્રેમીજનો માટે ખાસ દાંડીયા- રાસનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિકોને લાભ લેવા નિમંત્રણ અપાયું છે.જન્માષ્ટમી મહોત્સવના આયોજનને સફળ બનાવવા કૈશીક સભાડ, મેહુલ સભાડ, મયંકભાઈ મોદી, જયભારત ધામેચા, ભાવેશ સભાડ, રવિ એમ.સભાડ, ઉમેશભાઈ ડાભી, સાગર સભાડ, જીજ્ઞેશ બાંભવા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૦.૬)

(3:55 pm IST)