Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

કેશુભાઈ પટેલના નિવાસસ્થાને વિજયભાઈ : જગદીશભાઈના દુઃખદ અવસાન બદલ સાંત્વના આપી

રાજકોટ : રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને  મુરબ્બી શ્રી કેશુભાઈ પટેલ ના રાજકોટ ખાતે ના નિવાસસ્થાને જઇ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ ઊંડા  દુઃખ ની લાગણી વ્યકત કરી દિલસોજી પાઠવી હતી તથા સ્વર્ગીય શ્રી જગદીશભાઈ ના અકાળ અવસાન બદલ શોકગ્રસ્ત  પરિવારજનો ને સાંત્વના પાઠવી પરમકૃપાળુ પરમાત્મા તેમને અચાનક આવી પડેલ દુઃખ સહન કરવા ની શકિત આપે તેવી પ્રાર્થના કરી હતી. તસ્વીરમાં શ્રી કેશુભાઈ પટેલ ને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે શ્રી ધર્મશીભાઈ પટેલ, ભરતભાઈ પટેલ,અશોકભાઈ પટેલ,  નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી,રાજુભાઇ ધ્રુવ ,શ્વેતલ ભાઈ પંડયા તથા અન્ય પરિવારજનો નજરે પડે છે.

(3:51 pm IST)